સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂત આંદોલનનું સમાધાન કાઢવા માટ ગઠિત કરવામાં આવેલી ચાર સભ્યોની કમિટીમાં સામેલ ભૂપેન્દ્ર સિંઘ માન (અધ્યક્ષ બેકીયૂ)એ આ કમિટીમાંથી પોતાનું નામ પાછું લેવાનો નિર્ણય કર્યો છે.
હંમેશા પોતાના ખેડૂતો અને પંજાબ માટે ઉભો રહીશ- ભૂપેન્દ્ર સિંઘ માન
ભારતીય ખેડૂત યુનિયન દ્વારા જારી એક પ્રેસ સ્ટેટમેન્ટમાં ભૂપેન્દ્ર સિંઘ માન તરફથી રહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 3 નવા કાયદા પર ખેડૂત યુનિયનોની સાથે વાતચીત કરવા માટે મને 4 સભ્યની સમિતીમાં સમાવવા માટે હું સર્વોચ્ચ ન્યાયાલનો આભારી છું. એક ખેડૂત અને સ્વયં એક યુનિયન નેતાના રુપમાં, ખેડૂત સંઘો અને સામાન્ય જનતાની વચ્ચે ભાવનાઓ અને આશંકાઓને જોતા હું પંજાબ અથવા ખેડૂતોના હિતો સાથે સમજૂતી ન કરવા માટે હું પદ છોડવા તૈયાર છું. હું પોતે સમિતીથી હટી રહ્યો છું અને હંમેશા પોતાના ખેડૂતો અને પંજાબ માટે ઉભો રહીશ.
કોણ છે ભૂપેન્દર સિંઘ માન?
પૂર્વ રાજ્યસભા સાંસદ સરદાર ભૂપિંદર સિંહ માન બીકેયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય ખેડૂત સમન્વય સમિતિના અધ્યક્ષ છે. ભૂપેન્દર સિંઘ માન BKUના નેતા તથા તેઓ ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કમિટીની સ્થાપના કરી છે. નોંધનીય છે કે, 1990માં રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. ખેડૂતોના સંઘર્ષમાં યોગદાન બદલ રાષ્ટ્રપતિએ તેમને નામાંકિત કર્યા હતા. આપને જણાવી દઇએ કે, ભૂપેન્દર સિંઘ માન આંદોલનકારી સંગઠનોનો ભાગ નથી. 1966માં કિસાન મિત્ર સંગઠન બનાવ્યુ હતું. માને ઇન્દિરા ગાંધી સમયે ઇમરજન્સી લાગૂ કરવાનો વિરોધ કર્યો હતો અને જેલમાં પણ રહ્યા હતા.
ભૂપેન્દર સિંઘે સ્થાપેલી કિસાન કમિટી ત્રણેય કાયદાની તરફેણ કરે છે
સૌથી પહેલા નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દર સિંઘ માન વિશે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દર સિંઘે સ્થાપેલી કિસાન કમિટી ત્રણેય કાયદાની તરફેણ કરે છે. તો ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કમિટીએ કાયદાને સમર્થનની જાહેરાત કરી હતી. ભૂપેન્દર સિંઘની સંસ્થાએ ટેકો જાહેર કર્યા બાદ ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો તો સરકાર ખેડૂતો વચ્ચે ભાગલા પાડી રહી છે. થોડા સુધારા સાથે કાયદાઓ અમલી બનાવવા જોઈએ તેવો કમિટીનો મત હતો. 1990માં ભૂપેન્દર સિંઘને રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. પહેલા દિવસથી ત્રણેય કૃષિ સુધારણા કાયદાઓનું માન સમર્થન કરે છે અને જ્યારે ખેડૂતોના વિરોધની સમાંતર માન સરકારનું સમર્થન કરે છે
કોણ કોણ છે આ કમિટીમાં
હકિકતમાં સુપ્રીમ કોર્ટે આ મામલાના વિવાદમાં સમાધાન માટે એક ચાર સદસ્ય કમિટી બનાવી છે. જે કમિટીમાં ભૂપેન્દ્ર સિંઘ માન ઉપરાંત ડો. પ્રમોદ કુમાર જોશી(આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાન), અશોક ગુલાટી (કૃષિ અર્થશાસ્ત્રી) અને અનિલ ઘનવટ (શિવકેરી સંગઠન, મહારાષ્ટ્ર) છે.