મરાઠી એક્ટ્રેસ સયાલી સંજીવે ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડની સાથે પોતાના સંબંધોને લઇને ચાલી રહેલાં તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. સયાલી અને ઋતુરાજની વચ્ચે અફેરનાં સમાચારો થોડાં વર્ષો પહેલા વાયરલ થયાં હતાં જ્યારે ક્રિકેટરે અભિનેત્રીનાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
એક્ટ્રેસ સયાલી સંજીવે આપી રિલેશનશીપ અપડેટ
ઋતુરાજ ગાયકવાડ સાથેનાં પોતાનાં સંબંધોનો કર્યો ખુલાસો
લગ્ન કરશું તો ખબર પડશે- સયાલી
ભારતનાં યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની મરાઠી અભિનેત્રી સયાલી સંજીવની સાથે ચાલી રહેલી પોતાની અફવાઓને લઇને ખુલાસા કર્યાં છે. વિજય હજારે ટ્રોફી 2022માં 2 વખત શતક ફટકારનાર ઋતુરાજનું નામ એક્ટ્રેસ સયાલી સાથે જોડવામાં આવી રહ્યું હતું પરંતુ હવે એક્ટ્રેસે ઋતુરાજ સાથેનાં પોતાના અફેરને લઇને મૌન તોડ્યું છે.
અભિનેત્રીએ કર્યાં ખુલાસા
મરાઠી અભિનેત્રી સયાલી સંજીવે ખુલાસો કર્યો છે કે કઇ રીતે મીડિયા રિપોર્ટ્સએ ક્રિકેટરની સાથે તેમની મિત્રતાને પ્રભાવિત કરી છે. આ સાથે જ મીડિયા દ્વારા તેમના અને ઋતુરાજનાં સંબંધોને લવ રિલેશનશિપમાં જોડવાથઈ તે કેવું અનુભવી રહી છે તે પણ જણાવ્યું.
અમારી મિત્રતા પણ ખરાબ થઇ છે- સયાલી
સયાલી સંજીવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એવું કંઇ પણ નથી. આ અફવાઓનાં કારણે અમારી મિત્રતા પણ ખરાબ થઇ ગઇ છે. અમે હવે એતબીજાં સાથે મિત્ર બનીને પણ વાત નથી કરી શકતાં. કંઇ હતું નહીં. મને તો ખબર પણ નથી કે શા માટે અમને જોડવામાં આવે છે.
પોસ્ટ પર કરી હતી કમેન્ટ
તમામ અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે ઋતુરાજે સયાલી સંજીવની પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. જો કે તે સમયે પોતાના સંબંધોને લઇને બંનેમાંથી કોઇએ પણ સ્પષ્ટતા આપી નથી. સયાલીએ કહ્યું કે અફવાઓને લીધે અમારા અંગત જીવનમાં પણ સમસ્યાઓ પેદા થઇ છે અને તે ગોસિપ કરવાવાળાને પણ સમજાશે નહીં. આ અમને પ્રભાવિત કરે છે. તે એક સારાં ખેલાડી છે અને શરૂઆતમાં અમે આ વિષય પર વાત કરી હતી. પહેલા તો અમે એ કહીને આ વાત ટાળી કે અફવાઓ હશે. અમે હંમેશા વિચારતા કે સચ્ચાઇ સામે આવી જશે ત્યારે બધાંને ખબર પડી જશે.
લગ્ન કરશું તો ખબર પડશે- સયાલી
તેણે કહ્યું કે કદાચ જ્યારે અમે અમારા પાર્ટનરની સાથે લગ્ન કરશું ત્યારે જ લોકોને ખબર પડશે. પરંતુ જો દોઢ વર્ષ પછી પણ આવી અફવાઓ આવે છે તો તે અમને મુશ્કેલીઓ આવે છે. સયાલીએ પોતાનાં રિલેશનશિપ સ્ટેટસનાં વિશે વાત કરતાં કહ્યું કે હાલમાં તે કોઇને પણ ડેટ કરી રહી નથી.