રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 74માં ગણતંત્ર દિવસ પર ભારતને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્થિરતામાં ભારતનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. પુતિને પોતાના અભિનંદન સંદેશમાં ભારતના વખાણ કર્યા હતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેના દ્વારા થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં અને પ્રાદેશિક અને વૈશ્વિક એજન્ડા પરના મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં ભારત હંમેશાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતે વિશ્વશાંતિ માટે મોટી ભૂમિકા ભજવી છે.
French President Emmanuel Macron conveys wishes to Prime Minister Narendra Modi and the people of India on Republic Day
"I look forward to setting new ambitions together for the G20 and for our Indo-French strategic partnership as it turns 25 this year," tweets French President pic.twitter.com/MXo5fEUcap
દ્વિપક્ષીય સંબંધો પર પુતિને શું કહ્યુ
પુતિને પોતાના સંદેશમાં રશિયા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે સાથે મળીને કામ કરીને બંને દેશો તમામ ક્ષેત્રોમાં પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય સહકાર સુનિશ્ચિત કરી શકશે.