રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે. યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવ કોરિડોર બનાવવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ
રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં કરી સીઝફાયરની જાહેરાત
આજે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે PM મોદી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. ત્યારે રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે. આ સીઝફાયર 12:30 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવ કોરિડોર બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, રશિયાએ યુક્રેનમાં બીજી વખત યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ પણ બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી પરંતુ રશિયાએ થોડા જ કલાકોમાં તેને ખતમ કરી દીધું હતું અને રશિયાએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો.
Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કર્યો છે. આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે.
યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો
આ પહેલા સોમવારે સવારે રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી. જો કે લોકોને પહેલાથી જ બંકરો સહિત સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ કેટલાંક લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. અહીં યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો કરાયો છે.
PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources
આજે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે PM મોદી
યુદ્ધની વચ્ચે એક તરફ જ્યાં ઓપરેશન ગંગાની મદદથી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ PM મોદી પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સતત સંપર્કમાં છે. આજે ફરી વાર PM મોદી અને પુતિન વચ્ચે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવશે ત્યાં બીજી તરફ યુક્રેન દ્વારા વારંવાર ભારતને અપીલ કરવામાં આવી રહી છે કે ભારત દખલ કરે અને રશિયાને શાંતિ રાખવા માટે પ્રયાસ કરે, એવામાં આજે પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી શકે છે.
Operation Ganga: Special flight carrying 160 Indian students evacuated from Ukraine reaches Delhi
સ્પેશિયલ ફ્લાઇટ આવી દિલ્હી, વિદ્યાર્થીઓએ જણાવી પોતાની આપવીતી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ બુડાપેસ્ટથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતાં. જેમાં એક વિદ્યાર્થીએ કહ્યું કે, "સરહદ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું, અમારે લગભગ 25 કિલોમીટર ચાલીને જવું પડ્યું. ત્યાર બાદ ભારતીય દૂતાવાસે અમને મદદ કરી. પરંતુ આનાથી અમારો અભ્યાસ બગડવો જોઈએ નહીં."