શાંતિ મંત્રણા કરવા માટે કિવ પહોંચેલા રશિયન અબજોપતિ અને યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના માલિક રોમન અબરામોવિચ પર કેમિકલ અટેક કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે સુલેહ કરાવનાર વ્યક્તિમાં ઝેરના લક્ષણો
રશિયન અબજોપતિ પર કેમિકલ અટેક
યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના માલિક
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છે કે પૂરું થવાનું નામ જ નથી લેતું. આ યુદ્ધમાં અનેક લોકોએ ઘણું ભોગવ્યું છે અને જીવ પણ ગુમાવ્યા છે. હવે આ તમામની વચ્ચે વધુ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે જેમાં યુક્રેનમાં કેમિકલ અટેકનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
રશિયન અબજોપતિ પર કેમિકલ અટેક
શાંતિ મંત્રણા કરવા માટે કિવ પહોંચેલા રશિયન અબજોપતિ પર કેમિકલ અટેક કરવામાં આવ્યો છે. ખરેખર તેઓ યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના માલિક રોમન અબરામોવિચ છે જે માર્ચની શરૂઆતમાં યુક્રેન ગયા હતા અને શાંતરી વાર્તાકારો સાથે રાજધાની કિવમાં બેઠક કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જ તેઓ પર અચાનક કેમિકલ અટેક થયો હતો.
રશિયન અબજોપતિને કેટલાક્ શંકાસ્પદ લક્ષણોનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે એક ન્યૂઝ એજન્સીના હવાલે આ દાવો કરવામાં આવ્યો હતો. અબ્રામોવિચ સિવાય ઝેરના કારણે પ્રભાવિત લોકોમાં ક્રિમિયાનાં તાતાર વિધાયક રૂસ્તમ ઉમેરોવનો પણ સમાવેશ થાય છે. તેઓ પણ કથિત ઝેરના કારણે પ્રભાવિત થયા હોવાના સમાચાર મળ્યા હતા. ગયા મહિનાની 24 તારીખે અબ્રામોવિચે યુદ્ધ પૂરું કરવા માટે વાતચીત મંત્રણામાં મદદ કરવા માટે યુક્રેનને અનુરોધ કરવાનો સ્વીકાર કર્યો હતો.
ઝેર અથવા કેમિકલ અટેકનાં લક્ષણો
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝેરના લક્ષણોમાં લાલ આંખો અને તેમના ચેહરા પર ત્વચાના છોલાવાના નિશાન પણ છે. શરીરમાં દુખાવો અને હાથની સ્કિનમાં પણ લક્ષણો જોવા મળી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓની તબિયતમાં સુધારો પણ થયો છે અને હાલ એઓ ખતરાથી બહાર છે.
રશિયન કટ્ટરવાદીઓનો હાથ હોવાની શંકા
રિપોર્ટ અનુસાર, 3 માર્ચે રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલી વાતચીત બાદ આ ત્રણેય લોકોને રાસાયણિક હથિયારોથી ઝેર અપાયાના લક્ષણો અનુભવાયા હતા.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વાતચીત કરનારાઓએ મોસ્કોમાં બેઠેલા ઉગ્રવાદીઓ પર રાસાયણિક હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં, આ કટ્ટરવાદીઓ ઇચ્છતા નથી કે યુદ્ધ સમાપ્ત થાય, તેથી તેઓ શાંતિ મંત્રણાને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા માંગે છે.
આજે તુર્કીમાં મંત્રણા
રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિને લઈને આજે તુર્કીમાં વાતચીત થશે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું છે કે તેઓ મંત્રણા પહેલા યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે.
એર્દોગને સોમવારે કેબિનેટની બેઠક બાદ પોતાના ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અલગ-અલગ ફોન પર વાત કરી રહ્યા છે અને બંને નેતાઓ સાથેની વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.