રશિયાએ યુક્રેનને ચારે તરફથી ઘેરી લીધું છે અને ગમે ત્યારે રાષ્ટ્રપતિ ભવનનમાં રશિયન સેના પ્રવેસી શકે છે યુક્રેને રશિયા સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે.
આખરે નબળું પડ્યું યુક્રેન
રશિયા સાથે વાતચીત કરવાની દર્શાવી તૈયારી
રશિયાએ પણ સરેન્ડર કરવાની મુકી છે શરત
રશિયા અને યુક્રેનની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ વિવાદ યુદ્ધમાં બદલાઈ ગયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેની સાથે યુદ્ધનું એલાન કરી દીધુ છે અને જણાવ્યું છે કે રશિયા યુક્રેનમાં સૈન્ય અભિયાન ચાલવવા જઈ રહ્યું છે. રશિયન વિદેશમંત્રીએ કહ્યું કે, યુક્રેન સરેન્ડર કરે તો વાતચીત માટે તૈયાર છીએ. ત્યારે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
We are ready for talks once Ukraine's Army stops fighting, says Russian Foreign Minister Sergey Lavrov, reports Reuters
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો યુક્રેનની સેના યુદ્ધ બંધ કરે તો રશિયા વાતચીત માટે તૈયાર છે. જોકે, યુક્રેન રશિયાની સામે શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી અને રશિયાના હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ બંકરમાં આશરો લીધો
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક બંકરમાં આશરો લીધો છે. રશિયન સૈનિકો કિવ નજીક પહોંચ્યા પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિને બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. રશિયાની સત્તાવાર ચેનલ રશિયા ટુડેએ આ દાવો કર્યો છે.
રશિયાએ બ્રિટનની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે
રશિયાએ બ્રિટન પર વળતો પ્રહાર કર્યો, બ્રિટિશ એરલાઈન્સને તેના એરપોર્ટ પર ઉતરવા અને તેની હવાઈ ક્ષેત્રમાં ઉડવા પર પ્રતિબંધ મૂક્યો. એરોફ્લોટ પર બ્રિટનના પ્રતિબંધના જવાબમાં, રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ રશિયન એરસ્પેસમાં યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી રોઈટર્સે રશિયન રાજ્ય નાગરિક ઉડ્ડયન નિયમનકારને ટાંકીને જણાવ્યું હતું કે, રશિયાએ બ્રિટિશ એરલાયન્સને પોતાના હવાઈ મથક પર ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ભારતીય દૂતાવાસની સલાહ
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર રોમાનિયા અને હંગેરી મારફતે અહીંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહી છે. આ ઉપરાંત દેશની બહાર જતા નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે નાગરિકોને રસીકરણનું પ્રમાણપત્ર પોતાની સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. પ્રવાસ માટે ઉપયોગમાં લેવાતા વાહનો પર ભારતીય ધ્વજનું સ્ટીકર લગાવવા પણ કહેવામાં આવ્યું છે.