રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ફક્ત માણસોમાં જ નહીં, પણ જાનવરો માટે પણ ખતરનાક સાબિત થયું છે.
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે માઠા સમાચાર આવ્યા
દરિયામાં લગભગ 5000 જેટલી ડોલ્ફિન મરેલી મળી આવી
આ કારણે માછલીઓના મોત થયા હોવાનું તારણ
રશિયા અને યુક્રેનનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 9000થી વધારે સૈનિકો માર્યા ગયા છે. રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ફક્ત માણસોમાં જ નહીં, પણ જાનવરો માટે પણ ખતરનાક સાબિત થયું છે. યુક્રેન પર રશિયાના હુમલાના પરિણામે પાંચ હજારથી વધારે ડોલ્ફીનના મોત થઈ ગયા છે. વૈજ્ઞાનિકો તેના માટે પનડુબ્બીના સોનાર ઉપકરણે જવાબદાર ગણાવી રહ્યા છે. જીવવિજ્ઞાની ઈવાન રુસેવનું કહેવુ છે કે, માછલીઓના મોત આનાથી પણ વધારે હોય શકે છે.
રુસેવએ કહ્યું છે કે, બ્લેક સીમાં તૈનાત જહાજ અને પનડુબ્બીઓ મછલીઓના મોતનું કારણ છે. રુસેવ, યુક્રેનના દક્ષિણી ઓડેસામાં તુજસી લૈગૂન નેશનલ પાર્કમાં કામ કરે છે. તેમણે કહ્યું કે, પાણીની અંદર મરનારી ડોલ્ફીન ફક્ત પાંચ ટકા જ તણાઈ કિનારે આવે છે. બાકીની માછલીઓ તળીયે ડૂબાઈ જાય છે. તેમણે દાવો કર્યો છે કે, આપણે તેને ગણી શકતા નથી. પણ અનુમાન લગાવી શકીએ છીએ કે, અત્યાર સુધીમાં હજારો ડોલ્ફીનના મોત ચુક્યા હશે.
સોનારનું શું છે કનેક્શન
સોનાર જહાજો અને પનડુબ્બીમાં લાગેલા હોય છે. આ મશીનથી ચારેતરફ એક ફ્રીક્વેંસી નિકળે છે. જો કોઈ ચીજ આ ફ્રીક્વન્સીની વચ્ચે આવે તો, તે રડાર પર દેખાય છે. તેનાથી પાણીની અંદર પનડુબ્બી અને માઈન્સના સૈનિક ખબર પડે છે. એક ફેસબુક પોસ્ટમાં કહેવાયુ હતું કે, પાણીમાં રહેલા જાહજ અને પનડુબ્બી જાનવરોના સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યા છે. રુસેવે લખ્યું છે કે, ડોલ્ફીન જહાજના રેડીએશનના સંપર્કમાં આવી રહી છે. તેનાથી તેના અંગો નિષ્ક્રિય થઈ જાય છે.
શા માટે થઈ રહી છે અસર
ધ્વનિ તરંગો અથવા ઈકોલોકેશન દ્વારા ડોલ્ફિન પાણીની અંદરની વસ્તુઓ શોધી શકે છે. આ તેને નેવિગેશન, ભોજન શોધવા અને શિકારી જાનવરોથી બચવામાં મદદ કરે છે. પણ સોનારનું રેડીએશન, જહાજનું એન્જીન અને હથિયારનો અવાજ ડોલ્ફીન માટે સંકટ ઊભું કરે છે. આ કારણ તે ચીજને નેવિગેટ નથી કરી શકતા. બુલ્ગારિયાના રીપોટામો નદીના કિનારે પણ ડોલ્ફીન મરેલી મળી હતી, જેના શરીરમાં પાણીની અંદર માઈન્સથી સળગવાના નિશાન હતા.