ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી.યુક્રેનની વાતચીતને લઈને બંને નેતાઓએ મુલાકાત કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ
હુમલાના બંને પક્ષોને ખાસ્સુ નુકસાન
ઈઝરાયલના પ્રધાનમંત્રીએ પુતિન સાથે મુલાકાત કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગના 10માં દિવસે પણ રશિયાનું આક્રમણ યથાવત છે. જ્યાં સતત હુમલાઓ થતાં રહે છે. યુક્રેન તરફથી પણ જડબાતોડ જવાબમાં આપી રહ્યો છે. હુમલામાં બંને પક્ષોને ખાસ્સુ નુકસાન થયું છે. યુક્રેન સંકટની વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. યુક્રેનની વાતચીતને લઈને બંને નેતાઓએ મુલાકાત કરી હતી. બેનેટના કાર્યાલયે બંને નેતાઓની થયેલી મુલાકાતને પુષ્ટિ થઈ છે. આ મુલાકાતના થોડા દિવસ પહેલા બંને નેતાઓ વચ્ચે ફોન પર પણ વાત થઈ હતી.
Israel PM Naftali Bennett meets Russian President Vladimir Putin at Kremlin for Ukraine talks, reports AFP quoting spokesperson
આ બાજૂ એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઈઝરાયલે રશિયાના હુમલાની નિંદા કરતા કીવ સાથે એકજૂટ થવાના સૂર અને યુક્રેનને માનવીય સહાયતા મોકલી છે. આ સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદ માટે મોસ્કોના સૈન્ય સમર્થન પ્રત્યે પણ સચેત છે. તો વળી આ રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે યુક્રેનના કીવ અને મોસ્કો બંનેની સાથે ઈઝરાયલના સારા સંબંધોનો હવાલો આપતા બેનેટે રશિયા સાથે મધ્યસ્થતા કરવા માટે કહ્યું છે. પુતિને પહેલા આ વિચાર પ્રત્યે શાંત રહ્યા હતા.
યુક્રેનના વિદેશમંત્રીની અમેરિકી વિદેશી મંત્રી સાથે મુલાકાત
આ તમામની વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ યુક્રેન-પોલિશ સરહદ પર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેની સાથે મુલાકાત કરી હતી. યુક્રેન માટે જરૂરી હથિયારોની આપૂર્તિ, પ્રતિબંધોની દક્ષતા સુનિશ્ચિત કરવા અને દબાણ વધારવાની રીત પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે, આ સમયે આવું કંઈ થયું નથી, જેના કારણએ રશિયામાં માર્શલ લો લાગૂ કરવો પડે. આવી રીતની અટકળો હતી કે, રશિયામાં માર્શલ લો લાગૂ થઈ શકે છે .ત્યાર બાદ પુતિનનું નિવેદન આવ્યું હતું. પુતિને કહ્યું કે, માર્શલ લો એ દેશમાં લગાવામાં આવે છે, જ્યાં બહારના હુમલા થાય છે. તેમણે કહ્યું કે, તે રશિયામાં એવી કોઈ સ્થિતી નથી જોતા અને આશા કરે છે કે, આવી સ્થિતિ આવે પણ નહીં.
યુક્રેન આપી રહ્યું છે જવાબ
તો વળી યુક્રેનના રાષ્ટ્રપતિએ શનિવારે દાવો કર્યો છે કે, દેશના મધ્ય તથા દક્ષિણ પૂર્વી વિસ્તારમાં મુખ્ય શહેરો પર યુક્રેની દળોનું નિયંત્રણ છે. જ્યારે રશિયાની ફોર્સ ખારકીવ, નિકોલીવ, ચેર્નિહાઈવ અને સુમીમાં બાધિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેલેંસ્કીએ કહ્યું કે, અમે અતિક્રમણકારીઓેને એવું નુકસાન પહોંચાડી રહ્યા છીએ કે, તેમણે ખરાબ સમયમાં પણ આવું નહીં જોયું હોય. યુક્રેની રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે, યુદ્ધના 10 દિવસમાં 10,000 રશિયાના સૈનિકોને મારી નાખ્યા છે. જો કે, આ દાવાની પ્રમાણિકતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.