રશિયાએ યૂક્રેન પર હુમલો કરીને અમેરિકા અને નાટો સમર્થિત દેશોને પોતાની શક્તિનો પરિચય આપવાની ચાલ ચાલી છે. ત્યારે હવે ભારત માટે રશિયા, યૂક્રેન, અમેરિકા સહિત NATO દેશોને લઇને મૂંઝવણ ઉભી થયેલી છે. ત્યારે આ અંગે નિવૃત્ત લેફ્ટનન જનરલ કે.જે.એસ ધીલ્લો એ મહત્વનું નિવેદન આપ્યું છે.
કે.જે.એસ ધીલ્લોનની VTV સાથે વાત
આર્ટિકલ 370 નાબુદ થયા પછી ખુશીનો માહોલ
રશિયા અને યુક્રેનની અંગત લડાઈ છે
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ ધીલ્લોને VTV સાથે ખાસ વાતચીત કરી હતી. ધીલ્લોને કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબુદ થયા પછી ખુશીનો માહોલ છે. કેટલાક વિઘ્નસંતોષી લોકોનો જ વિરોધ છે. આતંકવાદી પ્રવૃતિઓનો ગ્રાફ નીચે ગયો છે. કાશ્મીર એવો મુદ્દો છે જેમાં સરકારના તમામ વિભાગો કામ કરે છે.
કશ્મીરમાં ખુશીઓ આવી છે.
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે પણ ધિલ્લોનએ કહ્યું આ બે દેશ વચ્ચેની અંગત લડાઈ છે. આ યુદ્ધને ત્રીજુ વિશ્વ યુદ્ધ ના કહીં શકાય. ભારત આ મુદ્દે સ્પષ્ટ છે. બંને દેશો ભારતના મિત્રો છે. ભારત બંન્નેને સમજાવવા સિવાય કંઇ ન કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાની સેનાએ ગુરુવારે યૂક્રેનના સૈન્ય ઠેકાણા પર અનેક પ્રકારના રોકેટ, ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો છે. આ દરમિયાન યૂક્રેનના એર ડિફેન્સ સિસ્ટમ, રનવે, હથિયારોના ગોદામ અને એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ પોતાના દેશ પર આવી પડેલી આફતનો પ્રતિકાર કરવા માટે યૂક્રેન પણ પોતાની મિસાઇલોથી જોરદાર પ્રહાર કરી રહી છે. ત્યારે હવે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે યુક્રેને રશિયા સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને પુતિન પાસે વાતચીતનો સમય માંગ્યો છે.