યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારત સરકારે મોટી રાહત આપી છે. ભારત સરકારે રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની વતન વાપસી શરૂ થઈ ગઈ છે.
એર ઈંડિયાની ચાર ફ્લાઈટ આજે રવાના થશે
પુતિન સાથે વાત કર્યા બાદ લેવાયો આ નિર્ણય
ભારતીયોની થશે વતનવાપસી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારત સરકારે મોટી રાહત આપી છે. ભારત સરકારે રશિયા-યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોની વતન વાપસી શરૂ થઈ ગઈ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સ્વદેશ લાવવા માટે આજે એર ઈંડિયાની ચાર ફ્લાઈટ જશે. આ ઉડાન રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ અને હંગરીની રાજધાની બુડાપેસ્ટ માટે ઉડાન ભરશે. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. તેમને એર ઈંડિયાની આ ફ્લાઈટ દ્વારા વાપસી કરવામાં આવશે, જણાવી દઈએ કે, એર ઈંડિયાએ શુક્રવારે રાતના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, તે દિલ્હી અને મુંબઈથી 26 ફેબ્રુઆરીએ બી 787 વિમાન બુખારેસ્ટ અને બુડાપેસ્ટ માટે ચાલશે.
યુક્રેન માટે ચાર ફ્લાઈટ ઉડશે
એર ઈંડિયા તરફથી એક મેસેજ શેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હિમ્મત સાથે આપણે જૂનો નાતો છે. જાણકારી આપવામાં આવી છે કે, આજે યુક્રેન માટે એર ઈંડિયાની ચાર ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. આ જ ક્રમમાં બે ફ્લાઈટ દિલ્હીથી બુખારેસ્ટ માટે રવાના થશે. તો વળી એક ફ્લાઈટ બુડાપેસ્ટ જશે અને એક મુંબઈથી બુખારેસ્ટ માટે રવાના થશે. પહેલું વિમાન રોમાનિયાથી 470 ભારતીય વિદ્યાર્થીઓને લઈને રવાના થશે. યુક્રેનની પશ્ચિમી સરહદના માધ્યમથી ભારતીયોને બહાર કાઢવા માટે રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને આશ્વાસન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયાઈ દળો ભારતીયોની સુરક્ષા નક્કી કરવાના આદેશ આપ્યા છે. નિકાસી પૂર્વી યુરોપિય રાજધાનીમાં પહોંચી જશે, ત્યાર બાદ સમય નક્કી કરી લેવામાં આવશે. આ પ્રકારનું ટ્વિટ ભારતીય દૂતાવાસે કર્યું છે.
#UkraineRussiaCrisis All Indian citizens are advised not to move to any of the border posts without prior coordination with GoI officials at border posts: Embassy of India in Kyiv, Ukraine in an advisory to Indian nationals pic.twitter.com/K2Yeu2YxwP
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે કહ્યું કે, તે રોમાનિયા અને હંગરીથી આવતા રૂટ નિર્ધારિત કરવાનું કામ કરી રહ્યા છે. અત્યારે અધિકારીઓની એક ટીમ ઉઝોરોદની પાસ ચોપ-જાહોની હંગરી સરહદ, ચેર્નીવત્સી પાસે પોરબ્રે-સીરેત રોમાનિયાઈ સરહજ ચોકીઓ પર પહોંચી રહી છે. દૂતાવેસ કહ્યું કે, આ સરહદ પર સીમા ચેક પોસ્ટની નજીક રહેતા ભારતીય નાગરિકોને આ અંગે એડવાઈઝ આપવામાં આવે છે.
એર ઈંડિયાનું રેસ્ક્યુ ઓપરેશન
એક ફોટોમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ વતન વાપસી થવા પર ખુશી વ્યક્ત કરતા જણાઈ આવે છે. ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી કાલથી શરૂ થઈ ગઈ છે. આ અંગે વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી. એર ઈંડિયા આ સમગ્ર રેસેક્યુ મિશનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. પહેલા બે નિકાસી દિલ્હી-બુખારેસ્ટ અને મુંબઈ બુખારેસ્ટ શુક્રવારે રાતે 9 વાગ્યે અને રાતના 10.30 કલાકે ઉડાન ભરી હતી. પણ સ્થિતી અસ્થિર થયા બાદ તેમને રોકી દેવામાં આવ્યા હતા.