યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, યુક્રેનમાં હાલના તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, અભિયાન માટે અવરજવરના સમયે પોતાના વાહન પર ભારતીય ઝંડો લગાવે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સૂચના
પોતાના વાહનો પર ભારતીય ધ્વજ લગાવે
ઈંડિયા પણ લખવું
યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, યુક્રેનમાં હાલના તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, અભિયાન માટે અવરજવરના સમયે પોતાના વાહન પર ભારતીય ઝંડો લગાવો અને ઈંડિયા લખો, જેથી તેમની ઓળખાણ કરવામાં સરળતા રહે. આ નિર્દેશ ખાસ કરીને કોન્ફ્લિક્ટ જોન માટે આપવામાં આવ્યા છે.
સરકારે યુક્રેનના પશ્ચિમી શહેરોમાં બે કેમ્પ ઓફિસ શરૂ કરી છે, જેના દ્વારા યુક્રેનથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓની પ્રથમ બેચ (Indian Students Trapped in Ukraine) લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Latest advisory for Indians in Ukraine desiring to be evacuated via Poland: Embassy of India in Poland and Lithuania pic.twitter.com/uZ3w4tWTDG
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે યુક્રેનના પશ્ચિમી શહેરો Lviv અને Chernivtsiમાં બે કેમ્પ ઓફિસ શરૂ કરી છે. આ બંને કેમ્પમાં રશિયન અને યુક્રેનિયન બોલતા અધિકારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
#WATCH The first batch of evacuees from Ukraine reach Romania via the Suceava border crossing. Our team at Suceava will now facilitate travel to Bucharest for their onward journey to India: MEA Spokesperson Arindam Bagchi
યુક્રેનના અલગ-અલગ ભાગોમાં રહેતા, મેડિકલ અને અન્ય કોર્સનો અભ્યાસ કરી રહેલા આ અધિકારીઓ ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢીને બસ દ્વારા આ બે શહેરોમાં લઈ જશે. ત્યારબાદ, રોડ મારફતે બોર્ડર ક્રોસ કરીને, આ વિદ્યાર્થીઓને રોમાનિયાથી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવશે.
પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું
ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ(Indian Students Trapped in Ukraine)ની પ્રથમ બેચને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. યુક્રેનથી વિદ્યાર્થીઓની પ્રથમ બેચ Chernivtsi શહેરમાં લાવવામાં આવી હતી. ત્યાંથી તેને બસ મારફતે રોમાનિયા લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેઓ ફ્લાઈટ મારફતે ભારત આવશે.
યુક્રેનમાં 20 હજાર ભારતીયો રહે છે
જણાવી દઈએ કે યુક્રેનમાં ભારતના લગભગ 18 હજાર વિદ્યાર્થીઓ અને 2 હજાર સામાન્ય લોકો રહે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ત્યાંની સ્થિતિ ઝડપથી બગડી રહી છે અને તેઓ ભારત સરકારને બચાવ અભિયાન શરૂ કરવાની વિનંતી કરી રહ્યા છે. મોદી સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે યુક્રેનમાં રહેલા તમામ ભારતીયોને પોતાના ખર્ચે સુરક્ષિત રીતે પરત લાવશે અને ભારત પરત લાવશે. આ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.