ભારતમાં એક એવા જ્યોતિષ છે જેમણે યુરોપીય દેશોમાં યુદ્ધની ભવિષ્યવાણી 16 મહિના પહેલા કરી દીધી હતી. તેમની ભવિષ્યવાણી એક બુકમાં પબ્લિશ થઈ હતી. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય જ્યોતિષે કરી હતી ભવિષ્યવાણી
યુુરોપિય દેશો વચ્ચે થશે યુદ્ધ
વાયરલ થઈ રહ્યો છે આ ફોટો
યુક્રેન પર રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. યુક્રેનમાં ચારે બાજુ ફક્ત તબાહી જ તબાહી છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો હતો. તો રશિયાને લાગ્યું હતું કે યુદ્ધ જલ્દી જ ખતમ થઈ જશે. પરંતુ યુક્રેની સેના પણ તેનો પુરી તાકાત સાથે સામનો કરી રહી છે. દુનિયાના ફેમસ ભવિષ્યવક્તા બાબા વેંગાએ રશિયા વિશે ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રશિયા આગળ કોઈ નહીં ટકી શકે. તે સાચી થતી જોવા મળી રહી છે.
આવી જ રીતે ભારતના એક જોતિષે પણ 16 મહિના પહેલા જ યુરોપમાં યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી સાબિત થઈ રહી છે. તેમણે આ ભવિષ્યવાણીને એક પુસ્તકમાં લખી હતી. જેનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ જ્યોતિષી કોણ છે તેમણે શું ભવિષ્યવાણી કરી, યુદ્ધનું કારણ શું હતું તેના વિશે જાણીએ તો...
કોણ છે રશિયા-યુદ્ધની ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષી
રશિયા-યુક્રેન યુદ્ધની ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષીનું નામ પંડિત ઈંદુ શેખર શર્મા છે. જે પંજાબના કુરાલીમાં રહે છે. તેમણે 16 મહિના પહેલા યુરોપી દેશોમાં યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. તેમણે આ ભવિષ્યવાણી ઓક્ટોબર 2020માં પ્રકાશિત થયેલા પુસ્તક 'વાર્ષિક જ્યોતિષીય ભવિષ્યવાણી'માં કર્યો હતો. 80 વર્ષીય પંડિત ઈંદુ શેખર શર્માનો પરિવાર પાછલા 95 વર્ષોથી આ બુકને પબ્લિશ કરી રહ્યો છે.
'યુરોપીય દેશોનું વાર્ષિક રાશિફળ' નામની આ પુસ્તકમાં તેમણે ભવિષ્યવાણી કરી હતી. "26 ફેબ્રુઆરીથી 7 એપ્રિલ 2022ની વચ્ચે મકર રાશિમાં શનિ અને મંગળની ઉપસ્થિતિના પરિણામસ્વરૂપ યુદ્ધ થશે. તેનાથી દુનિયાની શાંતિ ભંગ થઈ જશે. તેમણે જે ભવિષ્યવાણી કરી હતી તે એક પુસ્તકના પેજ નંબર 54 પર પ્રિંટ હતી. તેનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. "
ગ્રહોના કારણે થયું યુદ્ધ
પંડિત ઈંદુ શેખર શર્માનું કહેવું છે કે મકર રાશિમાં શનિ અને મંગળ સહિત 2 ગ્રહોની ઉપસ્થિતિના કારણે હંમેશા સંઘર્ષ થાય છે. ભારતની રાશિ મકર છે. જે વધુ મજબૂત છે. માટે ભારત વચ્ચેનો રસ્તો અપનાવી રહ્યો છે અને વિવાદમાં શામેલ નથી થઈ રહ્યો. આ સંઘર્ષ માર્ચના મધ્ય સુધી ચાલી શકે છે. પરંતુ જો નાટો અને અમેરિકા જેવા દેશોએ હસ્તક્ષેપ ન કર્યો તો આ લાંબુ ખેંચાઈ શકે છે. તેમણે આગળ જણાવ્યું કે તેનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો પર ઓછામાં ઓછો અસર પડશે.