રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. ત્યારે યુક્રેન-રશિયા વચ્ચેની બેલારૂસમાં આયોજિત ત્રીજા તબક્રાની શાંતિવાર્તાનું કોઇ મહત્વપૂર્ણ પરિણામ નથી નીકળ્યું. તદુપરાંત આ યુદ્ધ વચ્ચે યુરોપીય મીડિયાએ એવો દાવો કર્યો છે કે, રશિયાના જનરલ વિટાલી ગેરાસિમોવનું મોત નિપજ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ
બેલારૂસમાં આયોજિત ત્રીજા તબક્રાની વાતચીતનું કોઇ હકારાત્મક પરિણામ નહીં
ત્રીજા રાઉન્ડની વાતચીતનું કોઈ નોંધપાત્ર પરિણામ નહીં
બેલારુસમાં આયોજિત રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડનું કોઈ ખાસ પરિણામ ન આવ્યું. રશિયા અને યુક્રેની વાર્તાલાપ કરનાર મહત્વના પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. યુક્રેની પ્રતિનિધિમંડળના સભ્ય માયખાઈલો પોડોલિકે જણાવ્યું હતું કે, યુક્રેનમાં માનવતાવાદી કોરિડોરની લોજિસ્ટિક્સમાં સુધારો કરવામાં કેટલીક નાની પ્રગતિ કરવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીના કાર્યાલય વડાના સલાહકાર પોડોલિકે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ અને સુરક્ષા ગેરંટી સહિત કરારના મુખ્ય રાજકીય બ્લોક પર ઊંડાણપૂર્વક પરામર્શ ચાલી રહ્યું છે.
Third round of Ukraine-Russia talks end with no significant results: Report
બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધ દરમિયાન પૂર્વ યુરોપિયન મીડિયાએ એવો દાવો કર્યો છે કે, રશિયન જનરલ વિટાલી ગેરાસિમોવનું મોત થઇ ગયું છે. જનરલ વિટાલી રશિયા તરફથી ચેચન્યાના બીજા યુદ્ધમાં લડ્યા હતાં. એ સિવાય રશિયન જનરલે સીરિયા યુદ્ધમાં પણ જબરદસ્ત લડાઇ આપી હતી અને યુક્રેનમાંથી ક્રિમિયાને મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Ukraine kills Russian Major General Vitaly Gerasimov near Kharkiv, reports The Kyiv Independent quoting Ukraine’s Chief Directorate of Intelligence of the Defense Ministry
યુક્રેનના મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાના હુમલાના કારણે યુક્રેનના પરિવહનને 10 અબજ ડોલર સુધીનું નુકસાન થયું છે. આ સાથે જ યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન ઓલેક્ઝેંડર કુબ્રાકોવએ પણ દાવો કર્યો છે કે, અમે એક વર્ષમાં આ નુકસાનની ભરપાઈ કરી લઇશું.