રશિયા હવે યુક્રેનના પોર્ટ પરથી નિકળનારા અનાજ ભરેલા જહાજને રોકશે નહીં. માનવામા આવી રહ્યું છે કે, ત્યાર બાદ દુનિયાભરમાં વધી રહેલા ખાદ્ય સંકટને ટાળી શકાશે.
આખરે પાંચ મહિના બાદ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ દેખાઈ
બંને દેશ વચ્ચે આ મુદ્દે સહમતી થઈ
સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતા બાદ નિર્ણય લેવાયો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયાને લગભગ પાંચ મહિના જેટલો સમય થઈ ચુક્યો છે. જો કે, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કોઈ એક મુદ્દાને લઈને સહમતી બની નહોતી. હવે 150 દિવસ બાદ બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતા કરાવ્યા બાદ બ્લેક સી (કાળા સમુદ્ર)માંથી અનાજની નિકાસને બેરોકટોક ચાલુ રાખવાનો કરાર કર્યો છે. આ ડીલથી રશિયા હવે યુક્રેનના પોર્ટ પરથી નિકળનારા અનાજ ભરેલા જહાજને રોકશે નહીં. માનવામા આવી રહ્યું છે કે, ત્યાર બાદ દુનિયાભરમાં વધી રહેલા ખાદ્ય સંકટને ટાળી શકાશે.
બંને દેશો વચ્ચે થયા કરાર
બંને દેશો વચ્ચેના આ કરાર પર તુર્કીના ડોલમાબાચે પેલેસમાં હસ્તાક્ષર થયા છે. બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેસ અને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ રજબ અર્દોબાન પણ હાજર રહ્યા હતા. ગુટેરેસે આ બેઠક બાદ કહ્યું કે, કરાર દ્વારા યુક્રેનથી ખાદ્ય સામગ્રીની નિકાસનો રસ્તો ખુલી ગયો છે. તેનાથી વિકાસશીલ દેશોને ખાદ્ય અને આર્થિક સંકટની બહાર કાઢી શકાશ. જે અત્યાર સુધી નિકાસ થતી નહોતી.
અનાજના નિકાસ પરની રોક હટાવી, અવરજવર શરૂ થશે
અહીં ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેનની વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરી જ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના કેટલાય મહત્વના ઠેકાણા પર કબ્જો કર્યો છે. તેમાં કાળા સાગર સાથે જોડાયેલા મહત્વના ઠેકાણાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનના કેટલાય મહત્વના પોર્ટ પર રશિયાએ યો તો કબ્જો કર્યો છે, અથવા તો તેના પર હુમલાઓ કર્યા છે. ત્યારે આવા સમયે યુક્રેન તરફથી અનાજના નિકાસ પર લગભગ પાંચ મહિનાથી રોક લાગેલી હતી, આ તણાવને ઘટાડીને યુએન અને તુર્કીએ રશિયા યુક્રેન વચ્ચે વાતચીત શરૂ કરવા પર ભાર આપ્યો હતો.
કેવી રીતે સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી રહ્યું છે રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયાના કારણે જે ગતિરોધ ઊભો થયો છે, તેને લઈને સમગ્ર દુનિયામાં ખાદ્ય સામ્રગીઓ મોંઘી થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય સંસ્થા ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું ફુડ પ્રાઈસ ઈંડે્ક્સ, જે સમગ્ર દુનિયામાં ખાદ્ય સામગ્રીની કિંમતોને ટ્રેક કરે છે. માર્ચમાં જ પોતાના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો હતો. આ ટ્રેકર 1990માં શરૂ થયો હતો. એટલે પુરા 32 વર્ષમાં ખાદ્ય સામગ્રીઓના ભાવ સૌથી વધારે રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
આમ જોવા જઈએ તો, આ બંને દેશ અનાજ નિકાસમાં પાવરહાઉસ છે. આ બંને દેશોમાંથી દુનિયાના 24 ટકા ઘઉંની ખપત પુરી થાય છે. એટલુ જ ન હીં દુનિયાના 57 ટકા સુરજમુખીના તેલની જરૂરિયા રશિયા યુક્રેન પુરુ પાડે છે. યુએન કોમ્ટ્રેડના જણાવ્યા અનુસાર 2016થી 2020 સુધી આ બંને દેશો દુનિયાની 14 ટકા મકાઈની નિકાસ કરવા માટે જવાબદાર હતા. પણ યુદ્ધ શરુ થયા બાદ રશિયા-યુક્રેન નિકાસ પડી ભાંગી અને કેટલાય દેશોમાં ખાદ્ય સામગ્રીનું સંકટ આવી પડ્યું.