યુદ્ધ ક્ષેત્રમાંથી જિંદગીની બાજી લગાવી, ભૂખ્યા તરસ્યા રઝળપાટ કરી યુક્રેન બોર્ડરથી દેશમાં પરત આવેલા વિદ્યાથીઓને જોઈ પરિવારો હિબકે ચડયા, ફૂલો વરસાવી થયું સ્વાગત
યુક્રેનની વિવિધ સરહદેથી પરત આવ્યા ભારતીયો
અનેક શહેરોના સ્ટૂડન્ટ્સ હેમખેમ પર આવ્યા
સંતાનોને જોઈને પરિવારજનોમાં હરખમાં આસું
યુક્રેનના અલગ અલગ દેશોમાં અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે મહા મુસીબતે સુરતના ઓળપાડ તાલુકાના સરોલી ગામની વિદ્યાર્થીની આઠ દિવસ બાદ ઘરે પોહ્ચતા સર્જાયા હદયદ્રાવક દ્રશ્ય સર્જાયા હતા.તો સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ 4 વિદ્યાર્થિનીઓ યુક્રેનમાં ફસાઈ હતી તે પણ ઘરે પરત આવી હતી.વલસાડની વિદ્યાર્થીની પણ યુક્રેનથી ઘરે પરત આવી હતી.રાજકોટની વિદ્યાર્થિનીને પણ રોમાનિયા બોર્ડરથી ઘરે પરત લાવવમાં આવી હતી.વડોદરાની યુવતી પણ ઘરે પરત આવી હતી.
યુક્રેનના અલગ અલગ શહેરોમાં અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે મહા મુશિબતે સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામની M.B.B.S ની વિદ્યાર્થીની આઠ દિવસના સંઘર્ષ બાદ ઘરે પહોચી છે. આ સમયે ઘરે ભાવના સભર દ્રશ્યો સર્જાયા હતાં. ઓલપાડના સરોલી ગામની દીકરી હાથમાં ટ્રોલી બેગ અને ખંભે વજનદાર બેગ લઇ આવી રહી છે. ત્યારે લોકોએ આ દીકરી પર ફૂલો વરસાવી રહ્યા હતાં. ભારે જહેમત બાદ આઠ દિવસના સંઘર્ષ બાદ રોમાનિયાની સરહદે પહોચીં હતી. ત્યારે રોમાનિયાનો આર્મી જવાન દેવદૂત બની આવ્યો અને દીનલ પટેલને ખેંચીને રોમાનિયાની બોર્ડર અંદર ખેચી લેતા તે આજે પોતાના ઘરે સુરક્ષિત પહોંચી છે. આ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
સરોલી ગામની M.B.B.S ની વિદ્યાર્થીની આઠ દિવસના સંઘર્ષ બાદ ઘરે પહોચી
યુક્રેનના અલગ અલગ શહેરોમાં અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે મહા મુશિબતે સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામની M.B.B.S ની વિદ્યાર્થીની આઠ દિવસના સંઘર્ષ બાદ ઘરે પહોચી છે. આ સમયે ઘરે ભાવના સભર દ્રશ્યો સર્જાયા હતાં. ઓલપાડના સરોલી ગામની દીકરી હાથમાં ટ્રોલી બેગ અને ખંભે વજનદાર બેગ લઇ આવી રહી છે. ત્યારે લોકોએ આ દીકરી પર ફૂલો વરસાવી રહ્યા હતાં. ભારે જહેમત બાદ આઠ દિવસના સંઘર્ષ બાદ રોમાનિયાની સરહદે પહોચીં હતી. ત્યારે રોમાનિયાનો આર્મી જવાન દેવદૂત બની આવ્યો અને દીનલ પટેલને ખેંચીને રોમાનિયાની બોર્ડર અંદર ખેચી લેતા તે આજે પોતાના ઘરે સુરક્ષિત પહોંચી છે. આ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
સંઘ પ્રદેશના વિદ્યાર્થીઓ યુક્રેનથી પાછા ફર્યા
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના માહોલમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા મિશન ગંગા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે ..જે અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ સલામત રીતે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ 4 વિદ્યાર્થિનીઓ યુક્રેનમાં ફસાઈ હતી.. જેઓ સરકારના પ્રયાસોથી હેમખેમ પોતાના વતન ઘરે પરત ફરી છે.. ત્યારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે યુક્રેનથી પરત ફરેલી દમણ અને દાદરા નગર હવેલીની તમામ ચારેય વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી..દમણના પ્રશાસન ભવન પર પ્રશાસક પ્રફુલ પટેલે વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરતાં તેમનું અને પરિવારજનો મોઢું મીઠું કરાવ્યું હતું .અને તેમના ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે કંટ્રોલ નંબર જાહેર
યુક્રેનની નજીકના દેશમાં ભારતે કંટ્રોલ રૂમ શરૂ કર્યા
હંગેરી માટે +36308517373, +3613257742
હંગેરી માટે +3613257743
પોલેન્ડ માટે +48225400000, +48792712511
કેમ વિદ્યાથીઑ મેડિકલનું ભણવા યુક્રેન જાય છે?
દેશમાં સરકારી મેડિકલ કોલેજોમાં માત્ર પસંદગીના વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે, બાકીના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોલેજોનો વિકલ્પ છે, પરંતુ આ કોલેજોમાં અભ્યાસનો ખર્ચ રૂ 1 કરોડથી રુ દોઢ કરોડ સુધીનો હોય છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી ન હોય તેઓ ભારતમાં મેડિસિનનો અભ્યાસ કરી શકતા નથી. એટલા માટે તે યુક્રેન જાય છે કારણ કે ત્યાં મેડિકલ એજ્યુકેશનનો ખર્ચ ભારત કરતા અડધા કરતા ઓછો છે. સાથે જ યુક્રેનમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત કરતાં ઘણું સારું છે. અહીં પ્રેક્ટિસ માટે ઘણા સારા સાધનો ઉપલબ્ધ છે. જ્યારે દેશમાં માત્ર કેટલીક કોલેજો પાસે તબીબી અભ્યાસ માટે સારા સંસાધનો છે. તેમજ દેશમાં વસ્તીના હિસાબે બહુ ઓછી મેડિકલ કોલેજો છે, જ્યારે યુક્રેનમાં આ કોલેજોની સંખ્યા વધુ છે. ત્યાં એમબીબીએસનો અભ્યાસ 20 થી 22 લાખમાં જ થાય છે. જ્યારે આપણા દેશમાં એક કરોડ રૂપિયા પણ ખર્ચાય છે.