રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે ફરી એક વાર ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
હજારો ભારતીયો ફસાયા હતા
દૂતાવાસે ફ્રેશ એડવાઈઝરી જાહેર કરી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે ફરી એક વાર ભારતીય દૂતાવાસે એક નવી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી આ એ઼ડવાઈઝરીમાં લોકોને ડિટેલ આપવા કહેવામાં આવ્યું છે, જે હાલમાં પણ દૂતાવાસની મદદ ઈચ્છે છે. એટલે કે, હાલમાં પણ જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, જે લોકોનો હજૂ પણ દૂતાવાસ સાથે સંપર્ક થઈ શક્યો નથી, તે ફટાફટ સંપર્ક કરે.
ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાના નિર્દેશ
ભારતીય દૂતાવાસ તરફથી મળતી જાણકારી આપવામાં આવી છે કે, યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ, ભારતીયો અને દૂતાવાસ હાલમાં પણ કામ કરી રહ્યા છે. અમને હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા સંપર્ક કરી શકે છે. તેના માટે ઈમેલ એડ્રેસ અને વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઈમેલ આઈડી છે [email protected] અને 24*7 મદદ માટે વોટ્સએપ નંબર +380933559958, +919205209802 and +917428022564। પર કોન્ટેક્ટ કરી શકે છે .
18000થી વધારે ભારતીયો વતન પરત ફર્યા
જાણકારી માટે જણાવી દઈએ કે, યુક્રેનમાં ચાલી રહેલા સંકટ વચ્ચે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. જેમણે બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું છે. ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં 18000થી વધારે ભારતીયો વતન પરત આવી ચુક્યા છે અને હજૂ પણ વિદ્યાર્થીઓ માટે ઓપરેશન ચાલી રહ્યું છે. તો વળી બીજી તરફ રશિયા દ્વારા કરવામા આવેલા હુમલામાં લાખોની સંખ્યામાં યુક્રેનમાં લોકોએ પોતાનો દેશ છોડી દીધો છે.
ભારતીય દૂતાવાસ શિફ્ટ કરવામાં આવ્યું
ભારતીય દૂતાવાસે 13 માર્ચે હંગામી ધોરણે પોલેન્ડની રાજધાની વોરસામાં સ્થનાંતરિત કરી દીધું હતું. આના વિશે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ઝડપથી બગડતી હાલતને જોતા આવું કરવામા આવ્યું છે. વારસોમાં સ્થનાંતરિત થયા બાદ ભારતીય દૂતાવાસને કીવથી લવીવમાં સ્થાનાંતરિક કરી દેવામાં આવ્યું હતું. જે પોલેન્ડની સાથે સરહદથી 70 કિમી દૂર છે.