સંક્રમણના રોજ 20 હજાર કેસથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે અને લગભગ 600 લોકોના મોત થઈ રહ્યા છે
સંક્રમણના રોજ 20 હજાર કેસથી પણ વધુ કેસ
8 દિવસમાં 3800 લોકોના મોત
રશિયાની વસ્તીમાં પણ થયો ઘટાડો
સંક્રમણના રોજ 20 હજાર કેસથી પણ વધુ કેસ
રશિયામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે મંગળવારે 652 દર્દીઓના મોત થયા છે, રશિયામાં ગયા અઠવાડિયે કોરોના સંક્રમણના રોજ 20 હજાર કેસથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે અને લગભગ 600 લોકોના મોત થઈ રહ્યા છે. આ જાણકારી ત્યાંનાં સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ મંગળવારે ત્યાં 20,616 કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા હતા. આ બાબતે વેક્સિન લેવાનો ઓછો દર અને કોરોનાના નિયમોનું લોકો પાલન ન કરતાંહોવાનું કારણ સામે આવ્યું છે.
8 દિવસમાં 3800 લોકોના મોત
પણ જો બીજી વાત કરીએ તો રશિયા જ એક દેશ છે જેણે સૌથી પહેલા કોરોના વાયરસની વેક્સિન આપવાની ઘોષણા કરી હતી. પણ ત્યાં વસ્તીના માત્ર 14 ટકા લોકોને જ રસી આપવામાં આવી છે. રશિયામાં કોરોના મહામારીમાં અત્યાર સુધી કુલ 55 લાખ લોકો સંક્રમિત થયા હતા અને 1,34,545 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. સૌથી વધુ મોત 28 જૂનથી લઈ 28 જૂન સુધીમાં થયા હતા, ત્યાંનાં રિપોર્ટ અનુસાર 3800 લોકોના મોત માત્ર 8 દિવસમાં થયા હતા. સાથે જ આટલા દિવસમાં 1.32 લાખ સંક્રમણના કેસો સામે આવ્યા છે. ભારતની જેમ જાન્યુઆરીમાં રશિયામાં નવા કેસોમાં ઘટાડો થયો હતો.
રશિયાની વસ્તીમાં પણ થયો ઘટાડો
રશિયન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 15 વર્ષમાં પહેલી વાર દેશની વસતીમાં પાંચ લાખનો ઘટાડો નોંધાયો છે. પાંચ લાખની વસતી ઘટવા પાછળ કોઈ સત્તાવાર કારણ તો જાહેર કરાયું નથી પરંતુ નિષ્ણાંતો વસતીના ઘટાડા પાછળ કોરોના મહામારીને જવાબદાર ગણી રહ્યાં છે. 2020 માં જાન્યુઆરીથી નવેમ્બર સુધી દેશમાં 2,29,700 લોકોના મોત થયા હતા. 2019 માં 13 ટકા ઓછા મોત થયા હતા.પ્રમુખ વ્લાદમિર પુતિને વસતી વધારવા પર ખાસ ભાર મૂ્ક્યો હતો. વસતી ઘટવા પાછળ તેમને ઓછી આવકને જવાબદાર ગણાવી હતી.