યૂક્રેન અને રશિયા વચ્ચે હાલ ભીષણ જંગ ચાલી રહ્યો છે. ત્યારે હવે રશિયામાં સોશિયલ મીડિયામાં રશિયા વિરોધ શરૂ થતા પુતિને પ્રતિબંધ લગાવ્યો છે.
પુતિને હવે સોશિયલ મીડિયા પર લગાવ્યા પ્રતિબંધ
રશિયામાં ફેસબુક પર આંશિક પ્રતિબંધ લાગ્યો
50 હજાર યૂક્રેનવાસીઓએ દેશ છોડી દીધો
રશિયના હુમલા વચ્ચે યૂક્રેનમાં તબાહી મચી ગઈ છે. રશિયન સેના યૂક્રેનની રાજધાની કીવ સુધી પહોંચી ગઇ છે. તો આ વચ્ચે ચીને શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. જ્યારબાદ પુતિન યૂક્રેન સાથે વાતચીત કરવા માટે રાજી થઇ ગયા છે અને ત્યારબાદ પુતિન તરફથી વાતચીત માટે પ્રતિનિધિમંડળ મોકલવાની વાત સામે આવી. પરંતુ આ દરમિયાન રશિયન સેના તરફથી વિરામ લેવા જેવી વાત સામે આવી નથી. રશિયન સેનાની યૂક્રેન પર કાર્યવાહી શરૂ છે.
આ વચ્ચે રશિયાએ દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવાય રહ્યું છે કે, રશિયામાં રશિયાનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં ફેસબુક પર રશિયા વિરોધ કન્ટેન્ટ ચાલતા અહીં આંશિક પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેની સાથે જ એ પણ માહિતી આવી રહી છે કે 48 કલાકમાં અંદાજિત 50 હજાર યૂક્રેનવાસીઓએ દેશ છોડી દીધો છે.
પોતાના હાથમાં લો દેશની સત્તા, ત્યારે જ અટકશે જંગઃ યૂક્રેન સેનાને પુતિનનો સંદેશો
યુક્રેન અને રશિયા વચ્ચે હાલ ભીષણ જંગ ચાલી રહ્યો છે. આ ભીષણ જંગની વચ્ચે વાતચીત કરવી જરૂરી બની ગઇ છે. ત્યારે પુતિનના એક નિવેદને આ તણાવને મોટું સ્વરૂપ આપી દીધું છે. પુતિને સેનાને કીવમાં નેતૃત્વને હટાવવા કહ્યું છે. પુતિને પોતાના સંબોધનમાં યૂક્રેને સેનાને કહ્યું કે દેશની સત્તા પોતના હાથમાં લઇ લો ત્યારે જ જંગ અટકશે.
પુતિને યૂક્રેની સેનાને નવ-નાઝિયોથી નાગરિકોની રક્ષા માટે સત્તાને પોતાના હાથમાં લેવા માટે કહ્યું. પુતિને યૂક્રેની સેનાને કહ્યું કે, રશિયા માટે તેમની સાથે એક કરાર કરવો સરળ રહેશે.
પુતિને પોતાના સંબોધનમાં ભાર આપીને કહ્યું કે યૂક્રેનના શાસક નાઝી આતકંવાદીની જેવું વર્તન કરી રહી છે. તે પોતાના જ નાગરિકોને ઢાલ બનાવવાનું કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી એક યહૂદી છે.
પુતિને કહ્યું કે, હું યૂક્રેનને અપીલ કરું છું કે તેઓ પોતાના નાગરિકોને ઢાલની જેમ ઉપયોગ કરવાનું બંધ કરી દે. આ લોકો પોતાના બાળકો, પત્નીઓ અને વૃદ્ધોને ઢાલ બનાવી રહ્યા છે. તેમના હાથમાં તમામ શક્તિ લેવી જોઈએ. પુતિને આરોપ લગાવ્યો છે કે યૂક્રેનમાં આ સમયે Neo-Nazis and Banderites જેવા સંગઠનોએ યૂક્રેનની રાજધાનીમાં કેટલાક લોકોને પોતાના કબજામાં લઇ લીધા છે. તેવામાં આ લોકોથી વધુ સરળ તો યૂક્રેનના તંત્ર સાથે કરાર કરવો છે.
એજ સંબોધનમાં પુતિને એ સ્પષ્ટ કરી દીધું કે તેઓ યૂક્રેન પર કબ્જો કરવા નથી જઇ રહ્યા. એમ પણ કહ્યું કે, કોઇપણ સ્થિતિમાં યૂક્રેનને પરમાણુ હથિયાર નહીં બનવા દેવામાં આવે.