સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોસ્કોમાં આયોજિત વિજય દિવસની પરેડમાં ભાગ લેવા રશિયાની ત્રણ દિવસીય મુલાકાતે રવાના થયા છે. બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની સામે સોવિયત વિજયની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે પરેડ યોજાશે. લદ્દાખમાં ચીન સાથે તણાવ વચ્ચે હવે ભારત દરેક મોરચે એક્ટિવ થઈ ગયું છે. ડ્રેગનને જવાબ આપવા માટે હવે ભારતે રશિયા પાસેથી એન્ટિ મિસાઈલ સિસ્ટમ S-400 ઝડપથી મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. રશિયાની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ 2018માં રશિયા સાથે થયેલા 5 અબજ ડોલરના એન્ટી મિસાઈલ સિસ્ટમ કરાર પર ભાર મુકશે. એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે રશિયા આ ભારત ચીન વચ્ચે મધ્યસ્થી કરી શકે છે.
ચીન સાથે તણાવ વચ્ચે તૈનાત કરવા માગે છે એન્ટી મિસાઈલ
આ સમય દરમિયાન રાજનાથ ભારત-રશિયન સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. ત્યારે સંરક્ષણ પ્રધાનની મુલાકાત ભારત અને ચીન વચ્ચે વધી રહેલા સરહદ વિવાદની વચ્ચે થઈ રહ્યો છે.
ભારત એન્ટી મિસાઈલ સિસ્ટમ S-400 ઝડપથી મેળવવા માટે રશિયાને આગ્રહ કરશે. કોરોના વાયરસના કારણે આ મિસાઈલની ડિલિવરીમાં મોડુ થઈ રહ્યું છે. ભારતે ચીન સાથે તણાવ બાદ સેનાને અલર્ટ કરી દીધી છે. સાથે જ તમામ રક્ષા તૈયારીઓ કરવા પણ આદેશ આપી દીધો છે.
વર્તમાન સ્થિતિમાં ડિફેન્સ તૈયારીઓ માટે રશિયાની મદદની જરૂર છે. જેથી રશિયામાં યોજાઈ રહેલી વિક્ટ્રી ડે પરેડમાં સામેલ થવા માટે રાજનાથસિંહ 3 દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન એન્ટી મિસાઈલ સિસ્ટમની ડિલિવરી ઝડપથી કરવા પર ભાર મુકશે. તમને જણાવી દઈએ કે S-400 એન્ટી મિસાઈલ સિસ્ટમ દુશ્મન દેશના વિમાન, ક્રૂઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલને ધ્વસ્ત કરી શકે છે. 230 કિમી સુધી અચૂક નિશાન લગાવી શકે છે.
दिल्ली: रक्षा मंत्री राजनाथ सिंह 3 दिवसीय यात्रा पर मास्को के लिए रवाना हुए।अपनी रूस यात्रा के दौरान, वह भारत-रूस रक्षा और रणनीतिक साझेदारी को और गहरा करने के तरीकों पर बातचीत करेंगे। वह मास्को में 75 वें विजय दिवस परेड में भी शामिल होंगे। pic.twitter.com/jj9Nqy3a1S
રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ 23 જૂને 'રશિયા-ભારત-ચીન' ત્રિપક્ષીય વિદેશ પ્રધાનની વાટાઘાટ કરવાના છે. ત્યારે જોઈએ તો મોસ્કો ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી મોસ્કો નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યું છે. ચાઇના સાથે રશિયાના સંબંધોમાં ભૂતકાળમાં ઘણો સુધારો થયો છે કારણ કે યુએસ પ્રતિબંધો પછી ચીન તેની સાથે વેપાર કરે છે. ત્યારે નવી દિલ્હીનો મોસ્કો સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો ઇતિહાસ રહ્યો છે. 2017 માં ડોકલામ વિવાદ દરમિયાન બેઇજિંગમાં રશિયન રાજનીતિકોને ચીનની સરકાર દ્વારા આ મુદ્દા પર જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લદાખની ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેના વિવાદના બે દિવસ પછી રશિયામાં ભારતના રાજદૂત ડી. બાલા વેંકટેશ વર્મા અને રશિયાના નાયબ વિદેશ પ્રધાન ઇગોર મોર્ગુલોવ વચ્ચે ફોન કોલ દ્વારા વાતચીત થઈ હતી.
આ વાતચીતમાં નાયબ વિદેશ પ્રધાનને ચીન અને ભારત વચ્ચેના સરહદ વિવાદ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે વીરગતી પામેલા 20 સૈનિકો વિશે પણ જણાવાયું હતુ. ત્યારે એક કર્નલ રેન્કના અધિકારી પણ શહીદ થયા છે.
ત્યારે રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને અધિકારીઓએ ક્ષેત્રીય સુરક્ષા પર ચર્ચા કરતા હિમાલયમાં ભારત અને ચીનની સરહદ પરની એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ (એલએસી) પર વિકાસને લઈને ચર્ચા કરવામાં આવશે.
આ અગાઉ 6 જૂને ભારત અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ કક્ષાની વાટાઘાટો પૂર્વે ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ રશિયાના રાજદૂત નિકોલેય કુદાશેવને એલએસી પર ઉભી થયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સરહદ વિવાદની ઉંચાઇએ વિદેશ સચિવ અને એક વિદેશી રાજદૂત વચ્ચે આ એક માત્ર સાર્વજનિક બેઠક હતી.
મંગળવારે ત્રિપક્ષીય વિદેશ પ્રધાનની વાટાઘાટો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના રાજ્ય કાઉન્સિલર અને વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે સરહદ વિવાદ અંગેની પ્રથમ બેઠક થશે.