રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે સાતમો દિવસ થયો છે. ત્યારે કીવ પર કબ્જો મેળવવાની જંગ હવે અંતિમ મોડ પર આવી ગઇ છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે, મિસાઈલો છોડી રહી છે. એ સિવાય રશિયન સેનાએ Kherson શહેર પર કબજો કરી લીધો છે અને તેના સૈનિકો પણ ખારકિવની અંદર પહોંચી ગયા છે.
રશિયન સૈન્યનો Kherson પર કબજો
અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ યુક્રેન છોડ્યું
(ICJ) માં યુક્રેનના મુદ્દા પર 7 અને 8 માર્ચે થશે સુનાવણી
મહત્વનું છે કે, આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક યોજાવાની છે. તેમાં કંઈક ઉકેલ આવે તેવી આશા સેવાઇ રહી છે. આજે સવારે અમેરિકી રાષ્ટ્રપતિએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'પુતિને યુક્રેન પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે.'
તમને જણાવી દઇએ કે, 64 કિમી લાંબો રશિયન સૈન્યનો કાફલો કીવની બહાર કબજો જમાવીને બેઠો છે. ત્યારે દક્ષિણ-પૂર્વમાંથી પણ એક અન્ય સૈન્ય કાફલો આગળ વધી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યાં છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ બધું એટલાં માટે થઇ રહ્યું છે કે, કારણ કે પુતિન દ્વારા હવે કીવ છોડવાની અથવા તો પછી મરવા માટે તૈયાર થઇ જાઓની ચેતવણી આપી દેવાઇ છે.
#WATCH "I welcome you all back to our motherland.....PM is determined to bring back our citizens safely. Jai Hind," says Union Minister Rajeev Chandrasekhar to Indians repatriated from Ukraine pic.twitter.com/PkLcxY8alE
રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર હવે હુમલા વધારી દીધા છે. રશિયાએ પોતાના એરટ્રૂપર્સ લેન્ડ કરી દીધા છે. સમાચાર એવાં સામે આવી રહ્યાં છે કે, આ હવાઈ જવાનોએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, રશિયન અને યુક્રેનનાં સૈનિકો વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે.
લગભગ 7 લાખ લોકોએ યુક્રેન છોડ્યું - UN
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં યુક્રેનમાંથી 6 લાખ 77 હજાર લોકોએ પાડોશી દેશોમાં જઇને રહેવાનું શરૂ કરી દીધું છે. યુએનને આશંકા છે કે, શરણાર્થીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.
C-17 ગ્લોબમાસ્ટર રોમાનિયા જવા રવાના
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે C-17 ગ્લોબમાસ્ટર આજે સવારે 4 વાગ્યે રોમાનિયા જવા રવાના થઇ ગયું હતું. વાયુસેનાએ જણાવ્યું કે, એરફોર્સના વધુ ત્રણ વિમાન આજે પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા માટે રવાના થશે. એ સિવાય યુક્રેન માટે ટેન્ટ, ધાબળા અને અન્ય માનવતાવાદી સહાય લઈ જઇ રહેલ ભારતીય વાયુસેનાનું વિમાન ટૂંક સમયમાં હિંડન એરબેઝ પરથી ઉડાન ભરશે.
Two Indian Air Force aircraft take off for Romania and Hungary from the Hindon airbase to bring back Indians stranded in Ukraine pic.twitter.com/wjkBqk3873
યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રશિયન સૈન્યએ યુદ્ધને વધારે ઉગ્ર બનાવ્યું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે, રશિયાએ ખારકીવમાં પોતાના સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા ઉતારી દીધા છે.
રશિયન સેનાએ Kherson પર કર્યો કબજો
રશિયન સેનાએ હવે Kherson ને પણ કબજે કરી લીધું છે. બીજી તરફ રશિયન સેનાએ કિવ-ખારકિવમાં પણ બોમ્બ ધડાકા તેજ કરી દીધા છે.
રશિયા-યુક્રેનની આજે વાટાઘાટો
રશિયા અને યુક્રેન વચ્ચે આજે બીજા તબક્કાની વાતચીત યોજાવા જઇ રહી છે. ત્યારે આ વાતચીત પહેલાં યુક્રેનએ યુદ્ધવિરામની માંગ કરી છે. બીજી તરફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં યુક્રેનના મુદ્દા પર 7 અને 8 માર્ચે સુનાવણી થશે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેનની પુતિનને ચેતવણી
અત્રે ઉલ્લેખનીચ છે કે, આજે અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને પણ યુએસ સંસદમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'રશિયાએ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી નાંખી છે. તાનાશાહ પુતિનને એ માટે જરૂરથી સજા મળશે. પણ તમને જણાવી દઇએ કે, અમેરિકાનું સૈન્ય યુક્રેન નહીં જાય. અમારી સેના યુદ્ધમાં ભાગ લેશે નહીં. પુતિન યુદ્ધ ક્ષેત્રમાં ભલે આગળ આગળ હોય પરંતુ આગળ જતા તેની તેઓએ ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.'