રશિયા અને યુક્રેનની વચ્ચેનો જંગ હવે ખરાખરીનો જામ્યો છે. ત્યારે આ બંને વચ્ચેમાંથી એકેય પાછીપાની કરવા તૈયાર નથી, ત્યારે હવે યુદ્ધના આજે છઠ્ઠા દિવસે યુક્રેન પર મોટી તબાહી થવાના એંધાણ મળી રહ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો છઠ્ઠો દિવસ
રશિયાએ હુમલા તેજ કર્યા
રહેણાંક વિસ્તારમાં કર્યા ધડાકા
રશિયા અને યુક્રેનની વચ્ચેનો જંગ હવે ખરાખરીનો જામ્યો છે. ત્યારે આ બંને વચ્ચેમાંથી એકેય પાછીપાની કરવા તૈયાર નથી, ત્યારે હવે યુદ્ધના આજે છઠ્ઠા દિવસે યુક્રેન પર મોટી તબાહી થવાના એંધાણ મળી રહ્યા છે. રશિયા યુક્રેનમાં રહેણાંક વિસ્તારને ટાર્ગેટ કરવા લાગ્યું છે. લોકો પોતાના ઘર છોડીને પાડોશના દેશમાં આશરો લેવા મજબૂર બન્યા છે. ત્યારે આજે રાતે કંઈક નવા જૂની થવાના એંધાણ મળી રહ્યા છે. રશિયાની સેના યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવ પર સોમવારે બોમ્બ ધડાકા કર્યા હતા. તેની સાથે જ રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવની લગભગ નજીક પહોંચી ગઈ છે અને હવે 40 માઈલના અંતરેથી રશિયા ટેંક સાથે અને સૈન્યના કાફલા સાથે આગળ કૂચ કરી રહ્યું છે.
રાતના સમયે મોટો હુમલો કરી શકે છે રશિયા
જાણકારોનું કહેવું છે કે, આજે રાત યુક્રેન પર મોટો હુમલો થઈ શકે છે. કીવને રશિયાએ ચારેતરફથી ઘેરી લીધું છે. એટલા માટે ભારતીય દૂતાવાસે પણ પોતાના નાગરિકોને એલર્ટ જાહેર કરી દીધું છે. કીવે સ્પષ્ટ કહ્યું છે કે, લોકો અહીંથી નિકળી જાય, નહીંતર આગલની સ્થિતિ માટે રશિયા અથવા યુક્રેન જવાબદાર નહીં હોય.
યુક્રેનમાં ગોળીબાર થતાં ભારતીય વિદ્યાર્થીનું મોત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની સીધી અસર ભારત પર પણ દેખાઈ રહી છે. યુક્રેનમાં છેડાયેલા જંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખાણ કર્ણાટકના રહેવાસી નવીન તરીકે થઈ છે. નવીનના મિત્રોનું કહેવું છે કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે તે ટ્રેન પકડવા માટે રેલ્વે સ્ટેશન પર જઈ રહ્યો હતો, અને અચાનક તે પશ્ચિમી સરહદ પર પહોંચી શક્યો. ભારતીય વિદ્યાર્થીઓ તરફથી દૂતાવાસ પાસે મદદ માટે માગી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિદ્યાર્થીના મોતના પુષ્ટિ કરી છે. અરિંદમે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.
યુટ્યૂબે પણ રશિયા વિરુદ્ધ કડક પગલા ભર્યા
યુટ્યૂબે પણ રશિયા વિરુદ્ધ આકરાં પગલા ઉઠાવ્યા છે. રશિયા ટુડે અને સ્પૂતનિકે યુટ્યૂબ ચેનલ બ્લોક કરી દીધા છે. આ અગાઉ યુટ્યૂબે અડવર્ટીઝમેંટ માટે મળતા પૈસાને રશિયની ચેનલો આપવાનું બંધ કરી દીધું હતું.
યુક્રેનમાંથી પાંચ લાખથી વધારે લોકોનું પલાયન
યુક્રેનમાં છ દિવસથી ચાલી રહેલા જંગમાં રશિયા હવે રહેણાંક વિસ્તારોમાં પણ અટેક કરવા લાગ્યું છે. યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધારે લોકો પલાયન કરી ચુક્યા છે. રશિયાના આક્રમણને જોતા લોકો પાડોશી દેશોમાં આશરો લઈ રહ્યા છે.
હોસ્પિટલ અને ઘરને પણ નથી છોડતું રશિયા
રશિયા એક તરફ યુક્રેન સાથે વાતચીત કરી રહ્યું છે અને બીજી બાજૂ આક્રમણ વધારે તેજ કરી રહ્યું છે. તે હવે રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. કીવ, ખારકીવ અને અન્ય શહેરોમાં હોસ્પિટલ અને લોકોના ઘરો પર બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યું છે.
ભારતીય વિદ્યાર્થીના મોત બાદ મોદી સરકાર એક્શનમાં
યુક્રેનના ખારકીવમાં રશિયાના હુમલામાં કર્ણાટકના વિદ્યાર્થી નવીનનું મોત થતા મોદી સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરી છે. ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું હતું. ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.
ભારતે રશિયા-યુક્રેન સાથે કરી વાત
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરી છે અને ખારકીવ તથા બીજા અશાંત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પૂરતી સુરક્ષા આપીને તેમને તત્કાળ બહાર કાઢવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનમાં ભારતના રાજદૂતો દ્વારા પણ આવા પગલાં ભરાઈ રહ્યાં છે.
ભારતે કીવ શહેર ખાલી કરવા ભારતીયોને આપી છે સૂચના
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે.