યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધની સંભાવના અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદેમેર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયા સાથે યુદ્ધ એક દુર્ભાગ્યપૂર્ણ સંભાવના છે.
યુદ્ધ એક દુર્ભાગ્યપૂર્ણ સંભાવના
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદેમેર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયા સાથે યુદ્ધ એક દુર્ભાગ્યપૂર્ણ સંભાવના છે જે રોકવા માટે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવા માંગે છે. ઝેલેન્સ્કીનએ યાલ્ટા યુરોપિયન રણનીતિ શિખર સંમેલનમાં પૂછવામાં હતું કે શું ખરેખર યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધની સંભાવના છે?
રશિયાની સૌથી મોટી ભૂલ હશે.
ઝેલેન્સ્કીએ આઅ સવાલના જવાબમાં કહ્યું હતું કે હું જાણું છે કે આ ખરેખર ખરાબ હશે પણ હા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની શકે તેવી સંભાવનાઓ છે. તેમણે આ અગાઉ એક સ્વતંત્ર ઓનલાઈન સમચારપત્રક સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે મને લાગે છે કે જો આવું થશે તો એ રશિયાની સૌથી મોટી ભૂલ હશે.
પુતિન સાથે વાતચીત પર ભાર
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ એક ડરામણી ઘટના છે પરંતુ દુર્ભાગ્યે આની સંભાવના નકારી શકાય તેમ નથી. જો કે એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર શાંતિ વાર્તામાં ખૂબ રસ દાખવ્યો ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યા હતા કે ઝેલેન્સ્કી વારંવાર પુતિન સાથે વાતચીત પર ભાર મૂકી રહ્યા છે પરંતુ તેમણે શાંતિ મત્રણા માટે ખાસ રસ દર્શાવ્યો નથી.
મારી પાસે પુતિન વિશે વિચારવાનો સમય નથી
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ઈમાનદારીથી કહું તો મારી પાસે પુતિન વિશે વિચારવાનો સમય નથી. જો કે હું એ વાતમાં વધારે રસ ધરાવું છે કે શું પુતિન સાથે મરી મુલાકાત ખરેખર થઈ શકે છે કે કેમ? જેમાં અમે અમારા સંબંધો વિશે ખૂલીને વાતચીત કરી શકીએ. કારણ કે આ સિવાય અમને કોઈ જ મુલાકાતમાં રસ નથી.
સાત વર્ષથી ચાલી રહ્યો છે સંઘર્ષ
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ જે પહેલેથી જ એક અઘોષિત યુદ્ધ જેવો રહ્યો છે તે સાત વર્ષથી ચાલી રહ્યો છે અને આ અગાઉ હજારો લોકો આ સંઘર્ષમાં જીવ ગુમાવી ચૂક્યા છે. 2014 ના વર્ષમાં શરૂઆત થયેલો સંઘર્ષનું કારણ રશિયા દ્વારા ક્રાઇમિયા દ્વીપને જોડી લેવાનું હતું. આ અગાઉ ક્રાઇમિયા યુક્રેનનો હિસ્સો હતું.
આ રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલું એક એવું પગલું હતું જે હજુ સુધી પશ્ચિમી દેશો દ્વારા માન્યતા પામ્યું નથી. ત્યાર બાદ આ સંઘર્ષ યુક્રેનના પૂર્વીય ભાગ સુધી ફેલાયો હતો. ડોનાબસ નામના આ ક્ષેત્રમાં રશિયન સમર્થકો અલગતાવાદીઓનું સમર્થન કરતાં આવ્યા છે. આ બોર્ડર પાસે રશિયા સૈનિકો તૈનાત કરી રહ્યું હોવાના સમાચાર પણ આવ્યા હતા.