અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુએ બોટાદ બેઠક પર અપક્ષમાં ફોર્મ ભર્યું છે, ભાજપ પાસે માંગી હતી ટિકિટ
ઋષિ ભારતી બાપુએ અપક્ષ ફોર્મ ભર્યું
બોટાદ બેઠક પરથી ઋષિ ભારતી બાપુએ ભર્યું ફોર્મ
ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ફોર્મ ભર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગૂ ફંકાઈ ગયું છે. ચૂંટણી જીત માટે ત્રણેય પાર્ટીઓ જારશોર પૂર્વક પ્રચાર શરૂ કરી દીધો છે. જાહેર થયેલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાના શરૂ કરી દીધા છે. કેટલીક બેઠકોના ઉમેદાવરો ટિકિટ માટે કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે રાજકીય માહોલ હિડોળે ચડ્યો છે. ત્રણય પક્ષો ચૂંટણીજીત માટે ધમધોકાર પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી જીત માટે રાજકીય પક્ષો દાવપેચ શરૂ કરી દીધા છે. આ વખતે ચૂંટણીમાં જંમ્પ લાવવા માટે સંતો મહંતો પણ મેદાને ઉતર્યા છે. બોટાદ બેઠક પર ઋષિ ભારતી બાપુએ અપક્ષમાં ભર્યું ફોર્મ છે.
ઋષિ ભારતી બાપુએ અપક્ષમાં ભર્યું ફોર્મ
બોટાદ બેઠક પર ઋષિ ભારતી બાપુએ અપક્ષમાં ભર્યું ફોર્મ ભર્યું છે. સમર્થકોને સાથે રાખી ઋષિ ભારતીબાપુએ અપક્ષમાં ભર્યું ફોર્મ ભર્યું છે. તેમને જણાવી દઈએ કે, ઋષિ ભારતીબાપુએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી. ભાજપે ટિકિટ ન આપતા અપક્ષમાં ભર્યું ફોર્મ છે. અમદાવાદ સરખેજ ભારતી આશ્રમના મહંત છે ઋષિ ભારતીબાપુ. તમને જણાવી દઈએ કે, બોટાદ બેઠક પર ભાજપે ઘનશ્યામભાઈ વિરાણીને ટિકિટ આપી છે.
અગાઉ ઋષિ ભારતીબાપુએ નિવેદન આપ્યું હતું
અગાઉ ભાવનગરમાં કોળી સમાજની એક ચિંતન શિબિરમાં તેમણે કોળી સમાજને 72 બેઠક પર હક છે તેવું જણાવ્યું હતું. જે શિબિરમાં મહામંડલેશ્વર ઋષિ ભારતીબાપુ સહિત કોળી સમાજના 4 વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહ્યાં હતા. બેઠકમાં આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન ઋષિ ભારતી બાપુએ ટિકિટને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, 'ગુજરાતની 182 બેઠકમાંથી 72 બેઠકો ઉપર કોળી સમાજને હક છે તો તેને ન્યાય મળવો જોઈએ. તેમણે કહ્યું સમાજને જે પક્ષ ટિકિટ વધુ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. છેલ્લા 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી. તેમને જણાવી દઈએ કે, ઋષિ ભારતી બાપુ ભાજપમાં ટિકિટ માગી હતી.