જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગ્યો છે. ટ્રાવેલ્સ કંપની ઉપરાંત ST નિગમે પણ એક્સ્ટ્રા બસો દોડાવાની શરૂ કરતા ભાડામાં વધારો.
જન્માષ્ટમીને અનુલક્ષીને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો
ટ્રાવેલ કંપનીઓએ બસોની સંખ્યામાં કર્યો વધારો
પોરબંદર માટે 800થી 1000 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે
હજુ તો જન્માષ્ટમીનો તહેવાર આવ્યો નથી ત્યાં તો રાજ્ય (Gjarat) માં જન્માષ્ટમીને લઇને સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ધસારો વધવા લાગ્યો. વતન તરફ જવા માટે લોકોની ભારે ભીડ જામી છે.
ગુજરાતમાં અત્યારથી જ જન્માષ્ટમીનું એડવાન્સ બુકિંગ: સૌરાષ્ટ્ર તરફ મુસાફરોનો ઘસારો વધતા ટ્રાવેલ કંપનીઓએ દોડાવી એક્સ્ટ્રા બસો, સોમનાથ અને દ્વારકા માટે મુસાફરોએ 1000થી 1200 રૂપિયા ચૂકવવા પડશે#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 14, 2022
ટ્રાવેલ કંપનીઓએ બસોની સંખ્યામાં વધારો કર્યો
જન્માષ્ટમી આવે એ પહેલા રાજકોટ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જવા મુસાફરોનો ધસારો વધવા લાગ્યો છે. આથી, ટ્રાવેલ કંપનીઓએ બસોની સંખ્યામાં પણ વધારો કરી દીધો છે. ST નિગમે પણ એક્સ્ટ્રા બસો દોડાવી છે.
સોમનાથ-દ્વારકા માટે મુસાફરોએ 1000થી 1200 રૂપિયા ચૂકવવા પડશે
વધુમાં જણાવી દઇએ કે, રાજકોટ જવા માટે 600 રૂપિયા ભાડું, પોરબંદર માટે 800થી 1000 રૂપિયા ભાડું, સોમનાથ અને દ્વારકા માટે મુસાફરોએ 1000થી 1200 રૂપિયા ચૂકવવા પડશે.
જામનગર અને જૂનાગઢ જવા માટે 800થી 1000 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. STની સૌરાષ્ટ્ર જતી તમામ બસો અત્યારથી હાઉસફુલ થઇ ગઇ છે. દ્વારકા, સોમનાથ અને જૂનાગઢ સહિતના ગામોમાં 1 સીટ મેળવી પણ મુશ્કેલ થઇ ગઇ છે.