રાજ્ય સરકાર ખેડૂતો માટે જાહેરાત કરી શકે છે. આજે બીજા રાહત પેકેજની જોહેરાત થઇ શકે છે. બપોરે 2.00 વાગ્યે નાયબ મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરશે. આ પત્રકાર પરિષદમાં બીજા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. અગાઉ સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. 33 ટકા કરતા વધારે પાક નુકસાનમાં ખેડૂતોને સહાય મળશે.
અગાઉ સરકારે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી
થોડા દિવસો અગાઉ ખેડૂતો માટે રાહત પેકેજની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેમાં સરકારે ખેડૂતો માટે 700 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇ આ રકમ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર પાક વીમાની રકમ સિવાય અન્ય સહાય પણ કરશે. ત્યારે આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા થઇ શકે છે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ટૂંક સમયમાં સહાયપાત્ર રકમ ખેડૂતોને ચૂકવામાં આવશે. 33 ટકા કરતા વધારે નુકસાન થયું હશે તેમને આ સહાય મળશે. 2 લાખથી વધુ ખેડૂતોને આ વિશેષ સહાય મળશે. પાક વીમા યોજના અંતર્ગત હાલ સર્વે ચાલી રહ્યો છે.
સર્વેના અહેવાલ બાદ વીમા કંપની દ્વારા નાણા ચૂકવવામાં આવશે સાથે જ નીતિન પટેલે કહ્યું હતું કે પિયત વિસ્તારમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.13,500ની સહાય કરાશે. બિનપિયત વિસ્તારના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.6800ની સહાય કરવામાં આવશે.