જૂનાગઢઃ માળિયાહાટીના ખંભાળિયામાં બિન કાયદેસર ઝીંગા ફાર્મના મામલે જગતનો તાત લાચાર બન્યો છે. વારંવાર રજૂઆત છતાં રાજકીય વગના ઝીંગા ફાર્મ હોવાથી કોઈ કાર્યવાહી નથતાં ખેડૂતોએ હવે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
જે ફાર્મ બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં ઉપવાસ આંદોલન પર ઉતરશે. કલેક્ટર ઓફિસ સામે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય વિમલ ચુડાસમાનું ફાર્મ હોવાથી પોલીસ મોકલી ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે. મોટામાથાઓને રૂપિયા આપી ગેરકાયદેસર ઝીંગાફાર્મ સામે કોઈ કાર્યવાહી થવા દેતા નથી.
ખંભાળીયા ગામે રાજકીય વગના કારણે ગરીબ ખેડૂતો ભોગ બન્યા છે. સાંસદ અને ધારાસભ્યના ઝીંગા ફાર્મના ખારા પાણી ખેતરમાં ઘુસતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખારા પાણી ખેડૂતોની જમીનમાં ઘુસી જતા ઉભા પાકમાં લાખોનું નુકસાન થયું છે.
સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાના ફાર્મ છે ગ્રામપંચાયતની જવાબદારી આવે છે તો પણ ખંભાળીયાના સરપંચ જણાવે છે. કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. તો પણ ઝીંગા ફાર્મ ચલાવે છે. હજારો વિઘામાં ખેડૂતોના ખેતરોમાં ખારા પાણી આ ફાર્મમાંથી આવે છે. ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયા છે. આગામી 5 વર્ષ સુધી ખેડૂતો કોઈપણ પ્રકારનો પાક ઉગાવી શકશે નહીં. જન અધિકાર મંચ ગુજરાતના પ્રમુખ પ્રવીણ રામજને ખેડૂતોની જમીનની મુલકાત લીધી નથી.
ત્યારે અનેક સવાલ ઉભા થાય છે કે રજૂઆત છતાં ઉકેલ કેમ ન શોધાયો? સાંસદ MLAના ઝીંગા ફાર્મ એટલે ચૂપ રહેવાનું? ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે?