અમદાવાદમાં મેટ્રોની કામગીરીના કારણે વ્યાપારીઓને પડતી હાલાકી અંગે થયેલી એક અરજીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા AMCને કહ્યું કે,નાગરીકોને વૈકલ્પિક સુવિધા આપવા તાકીદ
મેટ્રોની કામગીરીથી લોકોને હાલાંકી
હાઈકોર્ટે AMC પાસે માગ્યો જવાબ
વેપારીઓને વૈકલ્પિક સુવિધા આપો
અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વ્યાપારીઓને પડતી હાલાકી અંગે થયેલી એક અરજીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા AMCને કહ્યું કે, નાગરીકો માટે વૈકલ્પિક સુવિધા પૂરી પાડો.
અમદાવાદ મેટ્રોની કામગીરીને કારણે થલતેજ તળાવ સુધીનો રસ્તો એક વર્ષ માટે બંધ કરી દેવાયો હોવાના કારણે વેપારીઓને ભારે હાલાંકી પડી રહી છે. કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાના કારણે અહિથી પસાર થતાં રાહદારીઓ ભારે પર્શાન થઇ રહ્યા છે. મેટ્રોની કામગીરીને કારણે અવાર-નવાર અન્ય રસ્તાઓ પણ બંધ કરાતા હોવાના કારણે રાહદારી વાતેમાર્ગ્યું ઉપરાંત વાહન ચાલકો-વ્યાપ્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ મેટ્રો રેલની કામગીરીને કારણે જીવરાજ બ્રીજ પણ બંધ કરાયો હતો. આવા કારણોસર વેપારીઓના રોજગાર પર માઠી અસર પડી રહી છે. આ કામગીરીને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે
અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ મૂદ્દે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા મેટ્રોની કામગીરીથી લોકોને હેરાનગતિ થતી હોવાની નોંધ લીધી. ગુજરાત હાઈકોર્ટે આ તમામ બાબતોની નોધ લેતા કડકાઈભર્યું અવલોકન કરી ટકોર પણ કરી કે,રોજગારી મળે માટે મેટ્રો દોડાવો પણ રોજગારી છીનવાય તેવુ ન કરો. વ્યાપારીઓને તાકીદે વૈકલ્પિક સુવિધાઓ આપવા પણ AMCને તાકીદ કરી છે .વધુમાં 28 ફેબ્રુઆરીએ AMCને હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ પણ કર્યો છે.