બચત ખાતામાં પણ ચાર્જ વધ્યા હોવાની માહિતી ખોટી હોવાનું સામે આવ્યું
જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતાઓમાં સરકારી યોજનાના નાણા પણ જમા કરાવવામાં આવે છે. લોકડાઉન દરમિયાન જનધન યોજનાના ખાતા ધારકોને મહીને પાંચ સો રૂપિયામાં આપવામાં આવ્યા જેના પર સોશ્યલ મીડિયામાં તેને લઈને કેટલીક ગેરમાન્યતા અને ખોટી માહિતીઓ પણ ફરવા લાગી.
સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ
હાલમાં એક જનધન ખાતાઓમાં હવે પૈસા નીકાળવા પર સો રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે. આ સાથે જ અન્ય એક માહિતી પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે બચત ખાતામાં એક મહિનામાં ચોથી વખત નાણા જમા કરાવવા પર 40 રૂપિયાનો ચાર ચૂકવવો પડશે.
જોકે આ બધા જ દાવા ખોટા અને ભ્રામક સાબિત થયા છે. સરકારે આ બધા દાવાઓને નકાર્યા છે અને PIBની ફેકટ ચેકિંગ વિંગ દ્વારા તેનું ખંડન કરવામાં આવી રહ્યું છે. PIBના આધિકારિક ટ્વિટર હેન્ડલથી બતાવવામાં આવ્યું છે કે બધા દાવાના ચક્કરમાં પડવાની જરૂર નથી અને સત્ય એ છે કે જનધન ખાતામાં મફતમાં જ બેન્કિંગ સેવા મળશે અને તેના ઉપયોગ પર કોઈ ચાર્જ લગાવવામાં આવતો નથી.
શું હતો અને શું છે હકીકત :
દાવો હતો કે જનધન ખાતામાં પોતાના જ નાણા કાઢવા પર સો રૂપિયાનો ચાર્જ લાશે જોકે આ દાવામાં હકીકત છે કે જનધન ખાતામાંમાં બેન્કિંગ સેવાઓ પર કોઈ ચાર્જ રહેતો નથી.
एक मीडिया रिपोर्ट ने दावा किया है कि कुछ बड़े सार्वजनिक क्षेत्र के बैंकों ने बचत खातों में नकद जमा व नकद निकासी के लिए अपने चार्ज बढ़ाने का निर्णय किया हैI#PIBFactCheck:यह दावा गलत हैI उक्त बैंकों ने बचत खातों में नकद जमा व नकद निकासी के चार्ज बढ़ाने का कोई निर्णय नहीं लिया है I pic.twitter.com/trLDADaoiE
બીજો દાવો એવો હતો કે વિવિધ બેંક દ્વારા સેવિંગ્સ ખાતામાંથી નાણા કાઢવા અથવા જમા કરાવવા પર ચાર્જ વધારવામાં આવશે જેના પર સરકારે કહ્યું કે ચાર્જ વધારવાનો કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.