તારક મહેતા...શો છેલ્લા 13 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે અને 3 વર્ષથી શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાણી ગાયબ છે.
દિશા વાકાણીનું પત્તુ કપાયુ ?
આ એક્ટ્રેસ બનશે નવી દયા ?
ફેન્સની રાહનો આવશે અંત ?
ઘણા સમયથી દિશાની વાપસીને લઇને વાતો થઇ રહી છે પરંતુ ક્યારે પરત આવશે તેની પુષ્ટી હજુ સુધી થઇ શકી નથી. ઘણીવાર એવી વાતો પણ સામે આવી હતી કે દિશાએ શો છોડી દીધો છે પરંતુ સત્ય શું છે તે માત્ર અસિત મોદીને જ ખબર છે.
નવી દયા આવશે
ટી-ટાઉનમાં એવી અફવા છે કે યે હૈ મોહાબ્બતેની ઇશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી તારક મહેતા...ની નવી દયાભાભી બનશે. એક સમયે યે હૈ મોહાબ્બતેએ ટીઆરપી પોતાના નામ કરી લીધી હતી અને દિવ્યાંકાને ભારતના દરેક ખૂણે જાણીતી કરી દીધી હતી.
દિવ્યાંકા કરશે તારક મહેતા..માં કામ
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને ટીવીના સૌથી પોપ્યુલર શો તારક મહેતા...ની દયા બનવાનો મોકો આપવામાં આવ્યો હતો પરંતુ તેણે આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. જો કે આ વાત પર દિવ્યાંકા તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી.
2017થી ફેન્સ દયાબેન પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે પરંતુ તેમને 2021 સુધી નિરાશા જ સાંપડી છે. દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની વાતો ઘણી વાર થઇ છે પરંતુ ચોક્કસ સમય કે તારીખ આપવામાં આવી નથી કે દયા બેન પરત ફરશે જ. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે દયાએ શોમાંથી ક્વિટ કરી લીધુ છે ત્યારે તેના ફેન્સ નિરાશ થયા હતા.
સેલેરીમાં પ્રોબ્લેમ
કોઇમોઇની એક રિપોર્ટ અનુસાર દયા પાછી નથી આવી રહી તેનુ એક કારણ સેલેરી છે. તેની ઇચ્છા પ્રમાણે સેલેરી ન મળવાને કારણે તેની શોમાં વાપસી નથી થઇ રહી.
કેટલી હતી સેલેરી
રિપોર્ટ અનુસાર જ્યારે દયા શોમાંથી 2017માં બહાર ગઇ ત્યારે તેની સેલેરી 1.25 લાખ રૂપિયા પર એપિસોડ હતી. બાદમાં તેણે પૈસા વધારવાની ડિમાન્ડ કરી હતી અને હવે તેને પર એપિસોડ 1.50 લાખ રૂપિયા જોઇએ છે. મેકર્સ પણ આ વાતે વિચારી રહ્યા છે પરંતુ દયા સ્પષ્ટ છે કે જો તેને મનગમતી સેલેરી નહી મળે તો તે શોમાં પાછી નહી આવે.