રૂમાલી રોટલી ખાવાવાળા સાવધાન! બધા જાણે છે કે આ રોટલી બનાવવા માટે મેંદાનો ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે રૂમાલી રોટલી ખાવાનું શરુ કરી દે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ હેલ્થ માટે અત્યંત નુકસાનકારક છે. માનવામાં આવે છે કે મેંદાની બનેલ વસ્તુઓ આપણા પેટને લાંબા સમય સુધી ભરેલ હોવાની અનુભૂતિ કરાવે છે. મેંદામાં કેલરી હોય છે. મેંદો પચવા માટે શરીરમાં રહેલ ન્યુટ્રીયંસનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેજોયલ પેરોકસાઇડ એક બ્લીચીંગ એજંટ છે, જેનો ઉપયોગ કરીને મેંદાને સફેદ રંગનો કરવામાં આવે છે. બેજોયલ પેરોકસાઇડ એક હાનીકારક રસાયણ છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત નુકસાનકર્તા
માનવામાં આવે છે કે મેંદાનું અધિક સેવન બાળકો તથા ગર્ભવતી મહિલાઓ માટે વધારે હાનિકારક હોય છે. આ માટે ધ્યાન આપવું જોઈએ કે મેંદાની બનેલ રૂમાલી રોટલીનો ઓછો ઉપયોગ કરવામાં આવે, જેથી કબજીયાતની ફરિયાદો વધી જાય છે.
મેંદો ખાવાથી હાડકાઓ બને નબળા
મેંદાથી ઘણા નુકસાનો થાય છે. સૌથી પહેલું નુકસાન એ છે કે હાડકાઓ નબળા પડી જાય છે, કેમકે જ્યારે મેંદો બનાવવામાં આવે છે તો તેમાંથી પ્રોટીન નીકળી જાય છે, જેથી તે એસિડિક બની જાય છે, જે હાડકાઓમાંથી કેલ્શિયમને ખેંચીને હાડકાઓને નબળા પાડવાનું કામ કરે છે.
થાય છે ડાયાબિટીસ તથા કબજીયાત
આ ઉપરાંત વધારે મેંદો ખાવાથી ડાયાબિટીસ તથા કબજીયાતની ફરિયાદો પણ શરુ થઇ જાય છે. અસલમાં, મેંદામાં જરાય ફાઈબર હોતું નથી, જેથી પાચન, પેટમાં દુખાવો તથા કબજીયાત જેવી સમસ્યાઓ થઇ શકે છે.