પૂજામાં થયેલી ભૂલની ક્ષમતા માંગવા માટે બોલવો જોઇએ ક્ષમાયાચનાનો મંત્ર. ક્ષમાયાચના મંત્ર પૂજામાં થયેલી ભૂલો અને દૈનિક જીવનમાં કરેલા ખોટા કામો માટે હોય છે. જે તમારી ભૂલોને સુધારે છે.
દેવી-દેવતાઓની પૂજામાં મંત્રોનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં પ્રાર્થના, સ્નાન, ધ્યાન, ભોગના મંત્રોની જેમ જ માફી માંગવાનો પણ મંત્ર જણાવવામાં આવ્યો છે. પૂજા ભગવાનની આરાધનાનું એક વિધાન છે. આપણે આ ધર્મ-કર્મને પરંપરા અને શાસ્ત્રો અનુસાર પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ જાણતા અજાણતા આપણાથી કોઇને કોઇ ભૂલ થઇ જાય છે ક્ષમાયાચના આ ભૂલને સુધારે છે.
જ્યારે આપણે આપણી ભૂલ માટે ભગવાન પાસે માફી માંગીએ છીએ, ત્યારે પૂજા પૂર્ણ થાય છે. આ ક્ષમા પૂજામાં થયેલી ભૂલો અને દૈનિક જીવનમાં કરેલા ખોટા કામો માટે હોય છે. ક્ષમા સૌથી મોટો ભાવ છે. જ્યારે આપણે ભગવાન પાસે માફી માંગીએ છીએ ત્યારે ભગવાનની કૃપા મળે છે. ક્ષમાનો આ ભાવ આપણા અહંકારનો નાશ કરે છે. આપણે દૈનિક જીવનમાં પણ અહંકારનો ત્યાગ કરીને આપણી ભૂલોની ભમા માંગવામાં મોડું કરવું જોઇએ નહીં. આ પરંપરાનો મૂળ સંદેશ છે.
પૂજામાં ભગવાનને માફી માંગવા માટે બોલવામાં આવે છે આ મંત્ર
आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर॥
मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन।
यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे॥
આ મંત્રનો અર્થ એ છે કે હે પ્રભુ, હું તમને બોલાવવાનું જાણતો નથી અને ના વિદા કરવા, પૂજા કરવાનું પણ જાણતો નથી. મને મંત્ર પણ યાદ નથી કે ક્રિયા પણ. હું ભક્તિ કરવાનું પણ નથી જાણતો. તો પણ શક્ય એટલી પૂજા કરી રહ્યો છું. મહેરબાની કરીને માફ કરો અને પૂજાને પૂર્ણ કરો.