વેક્સિન લેવાના નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે, પણ જો તમને કે તમારા કોઈ નજીકના વ્યક્તિને કોરોના થયો હોય તો તેવા કેસમાં કેટલા સમય પછી વેક્સિન લેવી જોઈએ?
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર જલ્દી જ નિર્ણય લેશે
કોરોનાની બીજી લહેરમાં રી-ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે
ગર્ભવતી મહિલાઓ ડિલવરી બાદ વેક્સિન લઈ શકે છે
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર જલ્દી જ નિર્ણય લેશે
કોરોના વાયરસથી લડવા માટે દેશ પાસે હવે માત્ર વેક્સિન રૂપી હથિયાર બચ્યું છે, અને તેના સંદર્ભમાં ઘણા બધા નિયમો સતત બદલાઈ રહ્યા છે. પણ જો કોઈ વ્યક્તિને કોરોના વાયરસ થાય તો સાજા થયા બાદ કેટલા દિવસ પછી વેક્સિન લેવી જોઈએ તે માટેના નિયમ હવે લાગુ પાડવામાં આવી શકે છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર જલ્દી જ નિર્ણય લેવાની છે. આ ટીમ કહી રહી છે કે કોરોનાથી સાજા થયા બાદ 6 મહિના પછી વેક્સિન લેવાનો નિયમ છે પણ હવે આ નિયમ બદલીને 9 મહિના પછીનો કરી શકાય છે.
કોરોનાની બીજી લહેરમાં રી-ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે
આ ટીમે ઘણા રિસર્ચ અને તથ્યો જાણ્યા બાદ આ સલાહ આપી છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમ્યાન રી- ઇન્ફેકશનનો દર 4.5 ટકા હતો, અને આ દરમ્યાન 120 દિવસનું અંતર જોવા મળ્યું હતું. પણ બીજા દેશોનું રિસર્ચ કહે છે કે કોરોના થયા બાદ 6 મહિના સુધી ઇમ્યુનિટી રહે છે, એટલે એ સમય બરોબર છે. પણ હવે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેવામાં રી- ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે. એવામાં જો પહેલો અને બીજો ડોઝ લેવામાં અંતર રાખીએ તો તે ફાયદાકારક છે.
ગર્ભવતી મહિલાઓ ડિલવરી બાદ વેક્સિન લઈ શકે છે
હમણાં જ રસીકરણના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત હવે પહેલો ડોઝ લીધા પછી 12 થી 16 અઠવાડિયા પછી બીજો ડોઝ લેવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. કોવિન પોર્ટલ પર બીજા ડોઝ માટે પહેલા ડોઝ લીધાના 84 દિવસ પછીનો સમય બતાવે છે. જ્યારે કોરોનામાંથી સાજા થયેલ લોકો માટે પહેલા 6 મહિના પછી રસી લેવાનો નિયમ હતો પણ હવે જે બદલીને 9 મહિનાનો થઈ શકે છે, અને ગર્ભવતી મહિલાઓ ડિલવરી બાદ વેક્સિન લઈ શકે છે.