મનુષ્યના દિવસની શરૂઆત આમ તો સ્નાનથી થાય છે અને આપણે નાહતી વખતે ઘણી એવી ભૂલો કરીએ છીએ જેનાથી આપણને તેનું અશુભ ફળ મળે છે. નાહતી વખતે ઘણી ભૂલોથી કુંડળીમાં ચંદ્ર રાહુ-કેતુના દોષોમાં વધારો થાય છે. ગરીબાઈ અને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સ્નાન કરતા સમય અને ત્યાર બાદ કરવામાં આવતા કાર્યો વિશે જણાવવામાં આવ્યુ છે. આ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે અને કુંડળીમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે. આવો જાણીએ સ્નાનના કેટલાક જ્યોતિષી નિયમો વિશે...
નાહતી વખતે ક્યારેય પણ બાથરૂમમાં બેસીને નખ કાપવા ન જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના મુજબ મૌન થઈને નાહવું અશુભ માનવામાં આવે છે. આથી સ્નાન કરતી વખતે મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. બીજા કોઈ દ્વારા ઉપયોગમાં લેવાયેલાં પાણીથી નહાવું જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી શરીર પવિત્ર થતું નથી.
સ્નાન કર્યાના તુરંત બાદ અગ્નિનો સ્પર્શ ન કરવો જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અગ્નિ અને પાણી એકસાથે સ્થાન પર હોવાથી દોષ વધે છે. એવું માનવામાં આવે છે કે સવારે સ્નાન કરવાથી શરીર મજબૂત બને છે અને ઘણી સિઝનલ બીમારીઓથી બચી શકાય છે. એવું મનાય છે કે સવારે સ્નાન કરવાથી વિચારોમાં પવિત્રતા વધે છે અને મનમાં ખોટા વિચાર આવતા નથી