અન્નને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભોજનના નિયમોની અવગણનાને કારણે દેવી અન્નપૂર્ણાની સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. પરિણામે ઘરમાં ધન અને અન્નની કમી થવા લાગે છે.
ભોજન કરતી વખતે અમુક નિયમોનું કરો પાલન
નહીં તો નારાજ થઈ જશે માતા અન્નાપૂર્ણા
ઘરમાં થવા લાગશે અન્ન-ધનની કમી
સનાતન ધર્મમાં પૂજા-પાઠ ઉપરાંત આપણી દિનચર્યામાં દિશાનું પણ ખૂબ મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દિશા આપણા જીવનને પ્રભાવિત કરે છે. વસ્તુઓને વ્યવસ્થિત રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં નિયમો અને ચોક્કસ દિશાઓ નક્કી કરવામાં આવી છે. એમાં ભોજન માટે પણ અમુક નિયમો છે. જાણ્યે-અજાણ્યે ઘણી વાર આપણે ભોજન દરમિયાન કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે આખા ઘરને ભોગવવું પડે છે.
અન્નને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભોજનના નિયમોની અવગણનાને કારણે દેવી અન્નપૂર્ણાની સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે. પરિણામે ઘરમાં ધન અને અન્નની કમી થવા લાગે છે. ચાલો જાણીએ કે ખોરાક લેતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.
ભોજન કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ભોજન પીરસવાના પણ નિયમો છે. ભોજનની થાળીમાં ત્રણ રોટલી એકસાથે પીરસવામાં આવતી નથી. આમ કરવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રણ રોટલીની થાળી મૃતકને સમર્પિત છે. ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકને ભોગ લગાવવા પર 3 રોટલીઓ મુકવામાં આવે છે.
થાળીમાં તમે જેટલું ખાઈ શકો તેટલું જ લો, કારણ કે ઘણા લોકો એક સાથે વધારે ખોરાક લઈ લે છે અને પછી તેને એઠુ મુકે છે. શાસ્ત્રો અનુસાર અન્નનો એક દાણો પણ બગાડવો એટલે માતા અન્નપૂર્ણાનો અનાદર કરવો. ખોરાકનું મહત્વ સમજો અને તેનો બગાડ ન કરો.
ઘણા લોકોની આદત હોય છે કે તેઓ ભોજન ચાવતી વખતે ખૂબ જ અવાજ કરે છે. શાસ્ત્રો અનુસાર આમ કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. આમ કરવાથી માતા લક્ષ્મીનો પણ ઘરમાં વાસ નથી રહેતો.
નાનપણથી જ ઘર અને શાળાઓમાં ભોજન કરતા પહેલા હાથ ધોવાનું શિક્ષણ આપવામાં આવે છે. જેથી ગંદા હાથના કીટાણુઓ શરીરમાં પ્રવેશ ન કરે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. ભોજન પર ગંદા હાથ લગાવવાથી દેવી અન્નપૂર્ણા ક્રોધિત થાય છે.
આ ઉપરાંત ભોજન કર્યા બાદ હાથ થાળીમાં ન ધૂવો. તેનાથી દેવી અન્નપૂર્ણાનું અપમાન થાય છે.