BRTS મુદ્દે AMC કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે BRTSમાં થઈ રહેલા અકસ્માતને રોકવા માટે ખાસ ગૃહમંત્રીએ BRTS કોરિડોરની મુલાકાત લીધી હતી અને તે માટે કેટલાક અગત્યના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે.
BRTS કોરિડોરમાં નિર્ધારિત વાહન જ ચાલી શકશે
ખાનગી વાહન પ્રવેશશે તો ચાલકની ધરપકડ કરાશે
પોલીસના 4 સ્ક્વોડ BRTS કોરિડોરમાં કામ કરશે
જનમાર્ગ લિમિટેડ દ્વારા 100 કિમીમાં કોરિડોર બનાવાયો છે. જેના ઉપર શહેરમાં 255 BRTSની બસો ચાલે છે. ચાલુ વર્ષે કુલ 300 અકસ્માત શહેરમાં થયા છે. BRTSમાં થતા અકસ્માત રોકવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે દંડ કરાયા નક્કી
BRTS કોરિડોરમાં નિર્ધારિત વાહન જ ચાલી શકશે. ખાનગી વાહન પ્રવેશશે તો ચાલકની ધરપકડ કરાશે. પોલીસના 4 સ્ક્વોડ BRTS કોરિડોરમાં કામ કરશે. BRTS કોરિડોરમાં બાઉન્સરો મુકવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા બાઉન્સર મુકવામાં આવ્યા છે. 2 વ્હીલરને રૂ.1500નો દંડ થશે જ્યારે કારચાલકને રૂ.3000નો દંડ થશે.
બસને લઈને અગત્યના નિર્ણય
બસોમાં સ્પીડ ગવર્નર ફીટ કરવામાં આવ્યા છે. સ્પીડ ગવર્નર સાથે ચેડા કરાશે તો કોન્ટ્રાક્ટને 1 લાખનો દંડ થશે. BRTSની સ્પીડ 50 કિમીની નક્કી કરાઇ છે. ડ્રાઇવરોને ભરતી સમયે ટ્રેનિગ અપાશે. ટ્રેનિંગ બાદ જ બસ ચલાવવા અપાશે. બસ ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશે તો દંડ થશે. નિયમોના ઉલ્લંઘનના કેસમાં કોન્ટ્રાક્ટરને 10 ઘણો ચાર્જ થશે
BRTSના ડ્રાઇવરો મોબાઇલ સાથે બસમાં નહી ચડી શકે.
દરેક અકસ્માતની પોલીસ તપાસ કરશે
સામાન્ય અકસ્માત થશે તો પણ રૂ.1 લાખની પેનલ્ટી નક્કી કરવામાં આવી છે. BRTS અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. BRTS કોરિડોરમાં હવે ખાનગી વાહન પ્રવેશ નહી કરી શકે.