ચારધામ યાત્રાને પગલે તંત્ર દ્વારા ગત વર્ષે સર્જાયેલા અગવડતા ન થાય તે માટે અગાઉથી જ આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેને લઇને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે.
ચાર ધામની યાત્રાને પગલે નવા નિયમ અમલી બનાવાયા
ઓનસલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું
ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ-બદ્રીનાથ સહિત ચાર ધામની યાત્રા મહત્વની ગણાય છે ત્યારે આ ચાર તીર્થ સ્થળોની યાત્રા આગામી સમયમાં શરૂ થવા જઈ રહી છે જેમાં જવા માંગતા લોકોએ કેટલાક નિયમો પાળવા જરૂરી બન્યા છે જે તમારે જાણવા જરૂરી છે. કેમકે ગત વર્ષે આ યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. અને તંત્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પણ ભારે ભીડ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તેથી જ તંત્ર દ્વારા તમામ પ્રકારની પહેલેથી જ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ઓનસલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત
મહત્વનું છે કે ગત વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં આવ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે ભારે ભીડ ઉમટ્યા હતા. આવનારા શ્રદ્ધાળુઓની કકડતી ઠંડીમાં કલાકો સુધી દર્શન માટે લાઈનમાં ઉભુ રહીને રાહ જોવાનો વારો આવ્યો હતો. તેથી આ વર્ષે પણ યાત્રાળુઓને આવી પરેશાનીઓને દૂર કરવા માટે તેમજ શ્રદ્ધાળુઓ માટે આ પ્રકારની સ્થિતિ ન સર્જાઈ તે માટે તંત્ર દ્વારા ઓનસલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને તમામ યાત્રાળુઓ આવે તે માટે તમામ રાજ્યોના મુખ્ય સચીવોને રાજ્ય સરકાર દ્વારા પત્ર લખ્યો છે.
QR કોડ મંદિરમાં બતાવવાનો રહેશે
પર્યટન મંત્રી સતપાલ મહારાજે મીડિયા સાથેની વાત ચીતમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે આવનારા યાત્રાળુઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યુ છે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જે મોબાઈલમાંથી રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યુ હશે તે મોબાઈલમાં એક QR કોડ મોકલવામાં આવશે. આ મોકલવામાં આવેલો QR કોડ મંદિરમાં બતાવવાનો રહેશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ એક ટોકન આપવામાં આવશે. આપેલા ટોકનમાં શ્રદ્ધાળુને દર્શન માટે એક સ્લોટ ફાળવવામાં આવશે. અને તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર દર્સન કરી શકશે. આમ થવાથી તંત્રને દર્શન માટે આવેલા દર્શાનાર્થીઓનો સાચો આંકડો મળશે અને તંત્ર બને તેટલી વધુ સુવિધા આપી શકશે.