Rule Change From 1st April: નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાયા છે. જેમ કે આજથી નવી ટેક્સ રીઝીમના નવા સ્લેબ અમલમાં આવી ગયા છે. સાથે જ દેશમાં સોનાના વેચાણને લઈને આજથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે.
નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી એટલે કે આજથી શરૂ થઈ ગયું
આજથી નવી ટેક્સ રીઝીમના નવા સ્લેબ અમલમાં આવી ગયા
આજથી બીજા ઘણા ફેરફારો થયા છે. ચાલો એક નજર કરીએ
Rule Change From 1st April : એપ્રિલ મહિનો નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવું નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી એટલે કે આજથી શરૂ થઈ ગયું છે અને આવી સ્થિતિમાં આજે ઘણા મોટા ફેરફારો થયા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાયા છે. જેમ કે આજથી નવી ટેક્સ રીઝીમના નવા સ્લેબ અમલમાં આવી ગયા છે. સાથે જ દેશમાં સોનાના વેચાણને લઈને આજથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ ઉપરાંત આજથી બીજા ઘણા ફેરફારો થયા છે. ચાલો એક નજર કરીએ..
1. કોમર્શિયલ એલપીજી થયું સસ્તું
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે.
2. નવી ટેક્સ રીઝીમ
દેશમાં 1 એપ્રિલથી એટલે કે આજથી નવા આવકવેરા સ્લેબ લાગુ કરવામાં આવ્યા છે. સરકારે સામાન્ય બજેટ 2023માં નવા સ્લેબની જાહેરાત કરી હતી, જેમાં સ્લેબની સંખ્યા 6થી ઘટાડીને પાંચ કરવામાં આવી હતી.
3. સાત લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી
આજથી આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધીને 7 લાખ રૂપિયા થઈ ગઈ છે. જો કે, આ લાભ એવા લોકોને મળશે જેઓ નવી કર વ્યવસ્થા પસંદ કરશે. 7 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટેક્સનો લાભ લેનારાઓને 80C હેઠળ મુક્તિનો લાભ નહીં મળે.
4. એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી થઈ મોંઘી
1 એપ્રિલથી દેશના હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી થઈ છે. એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે 18 ટકા વધુ ટોલ ચૂકવવો પડશે. દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ ટેક્સમાં સુધારો કરવામાં આવે છે.
5. ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત
1 એપ્રિલ 2023થી સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આજથી માત્ર 6 અંકનું આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ માન્ય રહેશે.
6. નાની બચત યોજનાના વ્યાજ દરોમાં વધારો
1 એપ્રિલ, 2023 થી, નાની બચતમાં રોકાણ કરનારાઓને થાપણો પર વધુ વ્યાજ મળશે. સરકારે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટ્સ (BPS)નો વધારો કરવામાં આવ્યો છે.
7. મ્યુચ્યુઅલ ફંડમાં ફેરફાર
નવા નાણાકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલથી, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ પર ટૂંકા ગાળાના મૂડી લાભ હેઠળ કર લાગશે. સરકારે લાંબા ગાળાના મૂડી લાભને નાબૂદ કર્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ડેટ મ્યુચ્યુઅલ ફંડને 36 મહિના પહેલાં રિડીમ કર્યા પછી યુનિટ્સ વેચે છે તો નફા પર ટૂંકા ગાળાના મૂડી લાભ મળે અને 36 મહિનાથી વધુ સમય સુધી હોલ્ડિંગ કર્યા પછી યુનિટ્સ વેચાણ પર લાંબા ગાળાના મૂડી લાભો મળે.
8. મહિલાઓ માટે નવી યોજના
આજથી સરકાર મહિલાઓ માટે 'મહિલા સન્માન સેવિંગ્સ' યોજના શરૂ કરી રહી છે. આ 2023-2025 વચ્ચેના બે વર્ષના સમયગાળા માટે જ રોકાણ માટે ઉપલબ્ધ રહેશે. મહિલા સન્માન બચત પત્ર બે વર્ષ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે જેમાં વાર્ષિક વ્યાજ દર સાત ટકા હશે.