મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે.
મહાદેવના આંસુમાંથી નીકળ્યા હતા રૂદ્રાક્ષ
રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન
રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા
મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે ધારણ કરવામાં આવે છે. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે તેને ધારણ કર્યા પછી વ્યક્તિએ જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહીં તો રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.
કોણે ધારણ ન કરવો જોઈએ રૂદ્રાક્ષ?
એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ માતા અને બાળકના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને ત્યાં જવું જોઈએ.
આ સમયે ન ધારણ કરો રૂદ્રાક્ષ
જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો, પણ નુકસાન છે.
એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આમ કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે. જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.