રુદ્રાક્ષ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. તમે તેમનાંં મસ્તક પર રુદ્રાક્ષ જોઇ શકો છો અને બીજી વાત એ છે કે જે લોકો ભગવાન મહાદેવને રાજી કરવા માગતા હોય છે તે પણ રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તથા આ માળાનો જાપ કરી પ્રભુ ને યાદ કરે છે. જો રુદ્રાક્ષની માળા કોઇ સાધુ-સંતોને આપવામાં આવે તો આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને રુદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
સામાન્ય રીતે તો રુદ્રાક્ષ ૧૨ પ્રકારના હોય છે. જેમાં દરેક રુદ્રાક્ષની વિવિધ-વિવિધ વિશેષતાઓ હોય છે અને દરેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા માટે વિવિધ-વિવિધ પદ્ધતિઓ હોય છે. આપણે જ્યારે પ્રભુ મહાદેવની પૂજા-અર્ચના કરવા જઈએ છીએ ત્યારે આપણને મહાદેવના શરીર પર રુદ્રાક્ષ જોવા મળી જતા હોય છે પરંતુ માર્કેટમાં મળતા રુદ્રાક્ષ સાચા છે કે ખોટા તેની પરખ કઇ રીતે કરવી ? લોકોમાં એવી માન્યતા છે કે આ રુદ્રાક્ષનો ઉપયોગ કરી તમે તમારી બધી જ મુશ્કેલીઓનુ નિવારણ લાવી શકો તથા તમને લાભ થશે, તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. તો આજે આપણે જાણીએ કે આ રુદ્રાક્ષની સાચી પરખ કેવી રીતે થાય છે ?
રુદ્રાક્ષ સાચો છે કે નહીં તે જાણવા માટે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમા રુદ્રાક્ષ ઉમેરો અને તેને આ પાણીને હુંફાળું ગરમ કરો. જો રુદ્રાક્ષનો રંગ ઊડવા માંડે અથવા તો તેના આકારમા કંઈ પરિવર્તન થઈ જાય તો ખ્યાલ આવી જશે કે આ રુદ્રાક્ષ અસલી નથી. કારણ કે જે રુદ્રાક્ષ અસલી હોય તે રુદ્રાક્ષને ગમે તેટલો ગરમ કરવાથી પણ તેનામાં કોઈ પરિવર્તન થતું નથી. બીજી પદ્ધતિ એ છે કે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરો. ત્યારબાદ તમારી પાસે રહેલા રુદ્રાક્ષને આ પાણી ભરેલ વાટકી નાખો. જો આ રુદ્રાક્ષ નીચે તળિયે બેસી જાય તો આ રુદ્રાક્ષ અસલી છે અને જો આ રુદ્રાક્ષ પાણીની ઉપર તરે છે તો તે રુદ્રાક્ષ અસલી નથી.
ત્રીજી પદ્ધતિ જે છે એ રુદ્રાક્ષને જો સોયથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રુદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રુદ્રાક્ષ નકલી છે. સરસવના ઓઇલમાં રુદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રુદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો રુદ્રાક્ષ નકલી હોય તો તેનો રંગ ઊતરી જાય છે.
આ ઉપરાંત રુદ્રાક્ષ પરખવાની સૌથી જૂની અને મહત્વની પદ્ધતિ ગણાય છે. એક તામ્ર ધાતુનો ટુકડો લો. આ ધાતુના ટુકડા ઉપર રુદ્રાક્ષ મૂકો ત્યાર બાદ ફરી એક તામ્ર ધાતુનો ટુકડો લો અને તેને તેની આજુબાજુ ફેરવો અને નિહાળો કે જો રુદ્રાક્ષમાં જરા પણ હલનચલન થતું જોવા મળે તો સમજવું કે આ રુદ્રાક્ષ સાચો છે.
અન્ય એક વાત એ પણ છે કે સાચા રુદ્રાક્ષનો આકાર ખાડાખબડાવાળો હોય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ એ દરેક જગ્યાએથી એક સરખો દેખાય છે. આ રુદ્રાક્ષ પર કોઇએ કોતરકામ કરી ને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.•