જ્યારે પણ ભગવાન શંકરની પ્રિય ચીજોને વાત થાય છે તો રૂદ્રાક્ષનું નામ સૌથી પહેલા આવે છે. શિવ પુરાણમાં પણ રૂદ્રાક્ષથી જોડાયેલી ઘણી વાતો લખી છે જે એ વાતને પ્રમાણ આપે છે કે રૂદ્રાક્ષ ભોલેનાથને ખૂબ પ્રિય છે.
સામાન્ય રીતે કેટલાક લોકોને તમે રૂદ્રાક્ષ પહેરેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે એના ધારણ કરવાની સાથે સાથે એનો લેપ પણ વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક કહેવાય છે. જી હાં ખૂબ જ ઓછા લોકો આ તથ્ય જાણતા હશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રૂદ્રાક્ષનો ચમત્કારી લેપ મોટામાં મોટી ગંભીર બિમારીથી હંમેશા હંમેશા માટે છુટકારો અપાવે છે.
કહેવામાં આવે છે કે લેપને બીજી ઔષધિઓ સાથે લગાવવાથી ઘણી બિમારીઓનો ઇલાજ કરી શકાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ લેપને રાતે લગાડવો જોઇએ નહીં કારણ કે કાતે લેપને લગાવવું અશુભ માનવામાં આવ્યું છે.
કહેવાય છે કે કોઇના શરીર પર ડાઘા હોય તો રૂદ્રાક્ષ, આમળા, યવક્ષાર અને રાળને સમાન માત્રામાં મિક્સ કરીને લેપ તૈયાર કરીને એને ડાઘ વાળા સ્થાન પર દરરોજ લગાવો. આવું કરવાથી થોડાક દિવસોમાં ડાઘ દૂર થઇ જશે.
જો કોઇ વ્યક્તિને કોઇ પણ પ્રકારની ઇજા થઇ હોય અને ઉપચાર કર્યા બાદ પણ ઠીક થતી નથી તો લીમડાના પાનની સાથે રૂદ્રાક્ષના પાનને પાણીમાં નાંખીને રાખી મૂકો. થોડા સમય બાદ પાણીથી ઇજાને સાફ કરો ત્યારબાદ રૂદ્રાક્ષને પીસીને ઇજા થઇ હોય ત્યાં લગાવી દો.
મોટાભાગે જોવા મળે છે કે કેટલાક લોકોને માથાના દુખાવો પરેશાન કરે છે તો એવા લોકોને રૂદ્રાક્ષ, ખસ, મુલેઠી, ચંદન અને નીલકમલના ફૂલને સમાના માત્રામાં દૂધમાં મિક્સ કરીને એનો લેપ તૈયાર કરો અને દરરોજ માથા પર લગાવો.