અમદાવાદઃ આંબેડકર જયંતી નિમિત્તે બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરવા પહોંચેલા ભાજપી નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપ સાંસદ કિરીટ સોલંકી આંબેડકરની પ્રતિમા પર માળા અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. જણાવાય રહ્યું છે કે આ લોકો જિગ્નેશ મેવાણીના સમર્થક હતા.
આ પહેલા શુક્રવારે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ધમકી આપી હતી કે ભાજપના કોઇપણ નેતાને આંબેડકરની પ્રતિમા પર ફૂલ ચઢવવા દેશું નહીં. બીજી તરફ અમદાવાદમાં કડક સુરક્ષા વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે ભાજપી નેતા આંબેડકરની પ્રતિમા પર ફૂલ ચઢાવવા પહોંચ્યા. વિરોધ કરનારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
Ahmedabad: Ruckus at an event on the occasion of #AmbedkarJayanti as MLA Jignesh Mevani's supporters tried to obstruct BJP MPs & members from garlanding BR Ambedkar's statue. #Gujaratpic.twitter.com/eghNs9TDfG