ઘોડા છૂટ્યા પછી તલેબાને તાળા આપતા આ અધિકારીઓ, માસુમ બાળકોનાં જીવન સાથે રમતા આ સંચાલકો, મસમોટી ટ્રાન્સપોર્ટની ફી લેતા આ ડ્રાઈવર અને ગાડીઓ. આ તમામ લોકો ત્યાં સુધી એક્ટિવ નથી થતા જ્યાં સુધી કોઈ હોનારત નથી ઘટતી અને આ બધા સક્રિય ત્યારે થાય છે જ્યારે કોઈનો જીવ જાય છે અથવા હોનારત ઘટે છે. અહીં વાત ગઈ કાલે ઘટેલી પંચામૃત સ્કૂલનાં બાળકો સાથે થયેલી બીનાની કરીએ તો અનેક સવાલો વાનચાલકો પર જ નહીં પરંતુ આરટીઈઓનાં અધિકારી પર પણ ઊઠે છે.
અમદાવાદ (Ahmedabad) નાં નિકોલ વિસ્તારની પંચામૃત સ્કૂલના ત્રણ બાળકો ચાલુ ગાડીમાંથી પડી જવા બાદ તંત્ર એકએક સફાળુ જગ્યુ છે. ગઈ કાલની ઘટનાને પગલે આજે વસ્ત્રાલ RTO દ્વારા નિકોલ અને આસપાસના વિસ્તારોની સ્કૂલોની સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરાયું. જેમાં ફિટનેસ સર્ટી અને આરટીઆઈનાં નિયમ વિરુદ્ધ મોડિફાઈડ કરાયેલી ગાડીઓને દંડ કરી સંતોષ માન્યો હતો. શું તંત્રની ઊડેલી આ ઊંઘ હવે કાયમ જાગૃતિમાં પરિણમશે કે પછી મોટા હપતાનો ડોઝ ફરી પાછો તેમને ઘેનમાં લાવી દેશે. તે સવાલ સાથે જોઈએ આ રિપોર્ટ.
ઘોડા છૂટ્યા પછી તલેબાને તાળા આપતા આ અધિકારીઓ, માસુમ બાળકોનાં જીવન સાથે રમતા આ સંચાલકો, મસમોટી ટ્રાન્સપોર્ટની ફી લેતા આ ડ્રાઈવર અને ગાડીઓ. આ તમામ લોકો ત્યાં સુધી એક્ટિવ નથી થતા જ્યાં સુધી કોઈ હોનારત નથી ઘટતી અને આ બધા સક્રિય ત્યારે થાય છે જ્યારે કોઈનો જીવ જાય છે અથવા હોનારત ઘટે છે. અહીં વાત ગઈ કાલે ઘટેલી પંચામૃત સ્કૂલનાં બાળકો સાથે થયેલી બીનાની કરીએ તો અનેક સવાલો વાનચાલકો (School van) પર જ નહીં પરંતુ આરટીઈઓનાં અધિકારી પર પણ ઊઠે છે.
કેમ કે, આટલી બધી ગાડીઓ રોજે રોજ લાખોની સંખ્યામાં ઘેટા બકરાની માફક બાળકોને ભરી જાય છે છતાં આજ દિન સુધી એક એક પોઈન્ટ પર ઊભેલા અધિકારીઓને નજરે કેમ ન ચડ્યું તે સૌથી મોટો સવાલ છે. એટલું જ નહીં આ સંચાલકોની પણ ટ્રાન્સપોર્ટ ફીમાં કટકી હોય છે માટે આ બાળકોને આ રીતે ભરી જવાની પરમિશન સ્કૂલવાનને આપવામાં આવે છે.
સ્કૂલ વાનની પ્રમાણભૂતતા માટે અનેક નિયમો અમલમાં છે. જો કે તે વ્યહારમાં નથી તે જુદી વાત છે. બાળકોને સ્કૂલે લાવતા અને ઘેર પરત લઈ જતા વાહનોએ રોડ સેફ્ટીના કેવા નિયમોનું પાલન કરવાનું હોય છે તે આવો અહીં જાણીએ. સ્કૂલ વાન સંપૂર્ણ રીતે આરટીઓ માન્ય ફીટનેસ ધરાવતી હોવી જોઈએ. સ્કૂલ વાનને પીળો કલર કરેલો હોવો જોઈએ. આગળ પાછળ મોટા અક્ષરે સ્કૂલ વાન કે બસ લખેલુ હોવું જોઈએ.
(Pic: File Photo)
ડ્રાઈવરનું નામ, સરનામુ, લાયસન્સ અને કોન્ટ્રાક્ટરની વિગત સ્કૂલ તેમજ પોલીસ પાસે હોવી જોઈએ. સ્કૂલ વાનની બારીઓ પર જાળી હોવી જોઈએ. સ્કૂલ વાનનાં દરવાજા પર મજબૂત લોક હોવો જોઈએ. સ્કૂલ વાનની ગતિમર્યાદા 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. સ્કૂલ બસ કે વાનમાની સ્પીડ ગવર્નસ લગાડેલું હોવું જોઈએ. દરેક બસમાં ફાયર સેફ્ટી અને ફર્સ્ટ એઈડ બોક્સ હોવું જોઈએ. દરેક વાન કે બસમાં સીસીટીવી કેમેરા કાર્યરત હોવા જોઈએ. આવાં અનેક નિયમો છે પરંતુ તેમ છતાં સોસાયટીમાં આવતી અને રોડ પર દોડતી સ્કૂલ વાન જોઇને તમને નવાઇ લાગશે.
આ વાત માત્ર અમદાવાદની નથી રાજ્યભરની સ્કૂલોમાં જેટલી પણ સ્કૂલવાન ચાલે છે તેમાંથી 90 ટકા સ્કૂલ વાનમાં વધુ બાળકો બેસી શકે તે માટે મોડીફાઈ કરવામાં આવે છે અને આ બધામાં ફાયર સેફ્ટી કે ફર્સ્ટ એઈડ બોક્સની કોઈ જ વ્યવસ્થા હોતી નથી. આરટીઓમાં જ્યારે ગાડી પાર્સિંગ થવા જાય ત્યારે ગાડી ઓકે હોય છે પણ જેવી પાર્સિંગ થાય તે પછી તરત જ ગાડીમાં ચેન્જિસ કરી સીટના બદલે પાટીયા નાંખી દેવામાં આવે છે 7 વિદ્યાર્થીઓની કેપીસીટી ઘરાવતી એક ગાડીમાં 20 બાળકોને બેસાડવામાં આવે છે.
આ તમામ બાબતથી સ્કૂલ સંચાલકો વાકેફ હોવા છતાં સ્કૂલ વાનનાં કોન્ટ્રાક્ટરને આરટીઓ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. પરંતુ જ્યારે આરટીઓની આબરૂનાં લીરેલીરા ઊડી જાય પછી તેઓ સફાળા જાગતા હોય છે. સ્કૂલ વાનનાં નામે જે ફી ઉઘરાવાય છે તેમાંથી કેટલીક ફી સ્કૂલ પોતાની પાસે રાખી બાળકોને જીવનનાં જોખમે મુસાફરી કરાવવા મજબૂર કરતી હોય છે. ત્યારે હવે હરકતમાં આવેલું તંત્ર ફરી વાર બાળકોની જિંદગી સાથે રમત ન રમાય તે માટે સાવધ રહેશે ખરું?