નવા મોટર વ્હીકલ એક્ટના આકરા દંડની જોગવાઈ સામે સરકારે 15 ઓકટોબર સુધી લોકોને રાહત આપી છે. ત્યારે રાજ્યની RTO કચેરીઓમાં HSRP, લાયસન્સ રિન્યુ કરાવવા અને કઢાવવા, આરસી બુક કઢાવવા, ફિટનેસ સર્ટીફિકેટ કઢાવવા લોકોની ભારે ભીડ જામે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને વધુ એક રાહત આપવામાં આવી છે.
નવા ટ્રાફિક નિયમ બાદ RTOના કામમાં વધારો
રાજ્યની તમામ RTO રવિવાર ચાલુ રહેશે
PUC કઢાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે
રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમમાં વધારો થયા બાદ પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી RTOમાં લાયસન્સ કઢાવવા વગેરે જેવી કામો માટે લાઈન લાગે છે. ત્યારે હવે રાજ્યના વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યની તમામ RTO કચેરી રવિવારના દિવસે ચાલુ રહેશે. પરીવહન વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. RTOની વિવિધ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. HSRP અને લાઇસન્સ માટે લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. નવા ટ્રાફિક નિયમ બાદ RTOના કામમાં વધારો થયો છે. જેને લઇને રવિવારે પણ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
HSRP નંબર પ્લેટ માટે લાગી લાંબી કતાર
રાજ્યમાં RTOમાં લાંબી લાઇન લાગી હતી. HSRP નંબર પ્લેટ માટે લાંબી લાઇન જોવા મળી હતી. વહેલી સવારથી લોકોને મુશ્કેલી પડી રહી છે. કડક કાર્યવાહીના ભયથી લોકોને લાંબી લાઇનમાં ઉભા રહીને પણ કામ કરાવી રહ્યાં છે. નિયમ બાદ અમદાવાદમાં હવે રોજ 700 નંબર પ્લેટ RTO તૈયાર કરે છે. લાંબી કતારોથી લોકોને મુશ્કેલી થઇ રહી છે.
15 ઓક્ટોબર સુધીનો સમય ફાળવવામાં આવ્યો
મહત્વનું છે કે, ટ્રાફિકના નવા કાયદામાં રાજ્ય સરકારે થોડી રાહત આપી છે. રાજ્ય સરકારે હેલ્મેટ ખરીદવા માટે અને PUC માટે સમય મર્યાદા વધારી છે. હેલ્મેટ ખરીદવા માટે હવે 15 ઓક્ટોબર સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. સાથે જ PUC કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો તો સમય આપવામાં આવ્યો હતો. જેમાં વધુ 15 દિવસની મર્યાદા વધારવામાં આવી છે. એટલે કે PUC કઢાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે એવી પણ જાહેરાત કરી છે કે હવેથી નવા ટુવ્હીલર ખરીદનાર તમામ ગ્રાહકોને વાહન એજન્સી તરફથી હેલમેટ ફ્રીમાં આપવામાં આવશે. જો વાહન એજન્સી દ્વારા હેલમેટનો કોઈ અલગથી ચાર્જ લેવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.