વિપક્ષના વિરોધ અને તૃણમુલ કોંગ્રેસના વોક આઉટ વચ્ચે સરકારે લોકસભામાં શુક્રવારે સૂચના અધિકાર સંશોધન વિધેયક ( RTI બિલ) 2019 રજુ કર્યું. બિલને 9ના બદલે 224 મતોથી રજૂ કરવાની અનુમતિ આપવામાં આવી. જ્યારે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે આ દરમિયાન ગૃહથી વોકઆઉટ કર્યો.
બિલમાં એ જોગવાઇ કરવામાં આવી છે કે મુખ્ય સૂચના કમિશ્નર, સૂચના કમિશ્નરો, રાજ્ય મુખ્ય સૂચના કમિશ્નર અને રાજ્ય સૂચના કમિશ્નરોના વેતન, ભત્તા અને સેવાના અન્ય નિબંધન અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. મૂળ કાનૂન મુજબ, હાલ મુખ્ય સૂચના કમિશ્નર અને સૂચના કમિશ્નરોનું વેતન મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની બરાબર છે.
વડાપ્રધાન કાર્યાલયમા રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે સૂચનાનો અધિકાર અધિનિયમ 2005માં સંશોધન કરનાર આ વિધેયકને રજૂ કર્યો. એમણે કહ્યું કે પારદર્શિતાના સવાલ પર મોદી સરકારની પ્રતિબદ્ધતા પર કોઇ સવાલ ઉઠાવી શકે નહીં. સરકાર મેક્સિમ ગવર્નન્સ અને મીનીમમ ગવર્નન્સના સિદ્ધાંત પર કામ કરે છે. વિધેયકના સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે તેનો હેતુ આરટીઆઇ (RTI) અધિનિયમને સંસ્થાગત સ્વરૂપ પ્રદાન કરવું, વ્યવસ્થિત બનાવવુ અને પરિણામોન્મુખ બનાવવું છે.
શા માટે વિરોધ
સામાજિક કાર્યકર્તા આરટીઆઇ કાનૂનમાં સંશોધનના પ્રયાસોની ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેથી દેશમાં આ પારદર્શિતા પેનલ કમજોર થશે. બિલમાં સંશોધન કરી રજૂ કરવાનો વિરોધ કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ડ્રાફ્ટ બિલ કેન્દ્રીય સૂચના આયોગની સ્વતંત્રતા પર ખતરો પેદા કરે છે. જ્યારે કોંગ્રેસના શશિ થરૂરે કહ્યું કે આ વિધેયક ખરેખર તો આરટીઆઇને સમાપ્ત કરનાર બિલ છે, જે આ સંસ્થાનની બે મહત્વપૂર્ણ શક્તિઓને ખતમ કરનાર છે. એઆઇએમઆઇએમના ઔવેસીએ કહ્યું કે આ બિલ સંવિધાન અને સંસદને ઘટાડનાર છે. તેમણે બિલ પર ગૃહમાં મત વિભાજન કરાવવાની માંગ કરી. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે આ દરમિયાન ગૃહથી વોકઆઉટ કર્યો.
મત વિભાજન પહેલા તૃણમુલ કોંગ્રેસના સૌગત રાયે માંગ કરી છે કે બિલને સંસદની સ્થાયી સમિતિને વિચાર કરવા મોકલવામાં આવે. એમણે કહ્યું કે 15મી લોકસભામાં 71 ટકા બિલ સમિતિઓને મોકલવામા આવ્યા હતા. જ્યારે 16મી લોકસભામાં માત્ર 26 ટકા બિલ સંસદીય સમિતિઓને મોકલવામાં આવ્યા. તેથી નવી લોકસભામાં હજુ સુધી એકપણ બિલ કોઇપણ સંસદીય સમિતિને મોકલવામાં આવ્યા નથી અને કેટલીય સંસદીય સમિતિઓનું હજુ સુધી ગઠન પણ કરવામાં આવ્યું નથી.
નવા બિલ વિશેની ખાસ બાબતો
1) બિલના ઉદેશ્યો અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે આરટીઆઇ અધિનિયમની કલમ 13 મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નરોની પદાવધિ અને સેવા શરતોની જોગવાઇ કરે છે. તેમા જોગવાઇ કરવામાં આવી છે કે મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નરોનું વેતન, ભથ્થા અને શરતો ક્રમશ: મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરો સમાન હશે.
2) તેમા એ પણ જોગવાઇ કરવામાં આવી છે કે રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અને રાજ્ય માહિતી કમિશ્નરોનું વેત ક્રમશ: ચૂંટણી કમિશ્નર અને મુખ્ય સચિવના સમાન હશે.
3) મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોના વેતન અને ભથ્થાઓ અને શરતો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના સમતુલ્ય છે. એવામાં મુખ્ય સૂચના કમિશ્નર, માહિતી કમિશ્નરો અને રાજ્ય મુખ્ય સૂચના કમિશ્નરનું વેતન ભથ્થા અને સેવા શરતો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના સમતુલ્ય થઇ જાય છે.
4) કેન્દ્રીય માહિતી આયોગ અને રાજ્ય માહિતી આયોગ, સૂચના અધિકાર અધિનિયમ 2005ની જોગવાઇના અધીન સ્થાપિત કાનૂની એકમ છે. એવામાં તેમની સેવા શરતોને સુવ્યવસ્થતિ કરવાની જરૂર છે.
5) સંશોધન બિલમાં એ જોગવાઇ કરવામાં આવી છે કે, મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નરો તથા રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અને રાજ્ય માહિતી કમિશ્નરોના વેતન, ભથ્થા અને સેવાના અન્ય નિબંધન અને શરતો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.