આજથી ફક્ત 2 દિવસ બાદ બેંક એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિયમ બદલાવવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાથી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સુવિધા રોજ દરેક સમયે એટલે કે 24x7 મળી રહેશે. તેનો અર્થ એ છે કે RTGS ની મદદથી તમે કોઈ પણ દિવસે કોઈ પણ સમયે રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. હાલમાં આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય રોજ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મળે છે.
ભારતીય રિઝર્વ બેંકે છેલ્લા મહિને એટલે કે ઓક્ટોબરમાં નિર્ણય લીધો છે કે RTGSની સુવિધા હવે 24 કલાક સુધી મળશે. આ નિર્ણયની સાથે રિઝર્વ બેંકે કહ્યું છે કે આ સુવિધા શરૂ કર્યા બાદ ભારત એ દેશોની કેટેગરીમાં આવશે જે 24x7x365 ની રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમની સુવિધા આપે છે.
આ રીતે નક્કી થશે ચાર્જ
આ એક બેંક એકાઉન્ટથી અન્ય બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાનો ફાસ્ટ મોડ છે. એક જ બેંકમાં એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં RTGS માટે ફંડ ટ્રાન્સફર નહીં કરી શકાય. તેમાં ફંડ ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી મર્યાદા 2 લાખ રૂપિયાની છે. આ સિવાય તેમાં ફંડ ટ્રાન્સફરનો કોઈ ચાર્જ નથી. પણ બ્રાંચમાં RTGSથી ફંડ ટ્રાન્સફર માટે ચાર્જ આપવાનો રહેશે.
NEFTનો નિયમ પહેલાંથી બદલાઈ ચૂક્યો છે. ગયા ડિસેમ્બરમાં તેમાં ફેરફાર કરાયો હતો. આ પછી હવે બેંકિંગ ટ્રાન્સફરના આધારે NEFTની સેવાઓ 24x7x365 મળી રહે છે. આ માટે મિનિમમ લિમિટ નક્કી કરાઈ નથી. મેક્સિમમ લિમિટ અલગ બેંકો માટે અલગ અલગ છે.
આ વસ્તુની રહેશે જરૂર
RTGS અને NEFT ની સેવા પર જરૂરી જાણકારી આ બંને પેમેન્ટ મોડમાં માંગવામાં આવી છે જે આ પ્રકારે છે. તેમાં હસ્તાંતરિત થનારી રકમ, લાભાર્થીનો નંબર, બેંક અને શાખાનું નામ, લાભાર્થીનું નામ અને બેંક શાખાનો આઈએફએસસી કોડ જરૂરી રહેશે.
એક મહત્વની વાત એ છે કે કોઈ પણ રીતે રૂપિયા ટ્રાન્સફર કરતી સમયે બેંક ખાતાથી રૂપિયા ડેબિટ થયા હોય તો લાભાર્થી ખાતાને અત્યાર સુધી રૂપિયા ક્રેડિટ નથી થયા તો શું રૂપિયા પાછા મળશે... જવાબ હા છે. કોઈ પણ કારણસર 3 માધ્યમમાંથી એકથી પણ રૂપિયા ટ્રાન્સફર નથી થયા તો બેંક તે રકમ પરત કરશે. આ રાકમ બેંક દ્વારા તેમના ખાતામાં નાંખવામાં આવશે.