અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે તો જ ગુજરાતમાં મળશે પ્રવેશ
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર RT-PCR રિપોર્ટ ફરજિયાત
રાજસ્થાનથી ગુજરાતમાં આવતા મુસાફરોએ આપવો પડશે રિપોર્ટ
શામળાજીની રતનપુર બોર્ડર પાર ચેકપોઇન્ટ ઉભા કરાયા
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર RT-PCR રિપોર્ટ ફરજીયાત કરાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા મુસાફરોએ રિપોર્ટ આપવો પડશે. શામળાજીની રતનપુર બોર્ડર પાર ચેકપોઇન્ટ ઉભા કરાય છે.
આખરે પોલીસ જ RT-PCR રિપોર્ટની તપાસ શરુ કરી છે. 72 કલાકમાં કરાવેલ રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે. કેટલાક વાહન ચાલકોને પરત મોકલાયા હતા. અરવલ્લીની 8 બોર્ડર પર પોલીસનો ચુસ્ત પહેરો છે અને બોર્ડર વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે.
સવારે દેખાઈ હતી લાપરવાહી
અરવલ્લીમાં ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના નિયમો નેવે મુકાયા હતા. અરવલ્લીની રાજસ્થાન બોર્ડર પર આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હતુ. RT-PCR રિપોર્ટ આજથી ફરજિયાત છતાં અમલ શરૂ કરવામાં નહોતો આવ્યો એટલું જ નહીં પણ ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગનો એકપણ કર્મી હાજર નહોતો. સરકારના જાહેરનામાનો અધિકારીઓ જ પાલન નથી કરતા તેવી પણ ચર્ચા શરૂ થઈ હતી જો કે પછી થી તંત્ર દોડતકું ખઈ ગયુ હતુ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે આંકડા પ્રમાણે, રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2360 કેસ નોંધાયા છે અને 2004 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 9 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4519 દર્દીઓના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4519 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.
રેકોર્ડ બ્રેક 2360 કેસ નોંધાતા હડકંપ
આપને જણાવી દઇએ કે, છેલ્લા 5 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. કારણ કે, દરરોજ 2000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે રેકોર્ડ બ્રેક 2360 કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 611 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં 602 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 142 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 290 કેસ, જ્યારે ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 172 કેસ અને ગ્રામ્યમાં 36 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 49,45,649 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6,65,395 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 56,11,044 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.