કર્ણાટકમાં કોંગ્રેસ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આરએસએસ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક ટિપ્પણી બાદ રાજકીય ઘમાસાણ મચી ગયું છે.
કર્ણાટકમાં નવો વિવોદ સામે આવ્યો
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ચડ્ડાઓ સળગાવવા લાગ્યા
RSSના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં મોકલી રહ્યા છે ચડ્ડાઓ
કર્ણાટકમાં કોંગ્રેસ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આરએસએસ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક ટિપ્પણી બાદ રાજકીય ઘમાસાણ મચી ગયું છે. માંડ્યામાં આરએસએસ કાર્યકર્તાઓ પોતાનો વિરોધ નોંધાવવા માટે થઈને કોંગ્રેસ કાર્યાલયમાં ચડ્ડીઓ મોકલી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધના સંકેત તરીકે ચડ્ડી સળગાવવામાં આવશે. ભાજપના કેટલાય નેતાઓ સિદ્દારમૈયાના આરએસએસ વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનોની ટિકા કરી હતી. ભાજપના મહાસચિવ સીટી રવિએ કાર્યકર્તાઓને સિદ્ધારમૈયા વિરુદ્ધ પ્રદર્શન કરવાની પણ અપીલ કરી હતી.
I'm telling you from the beginning that RSS is a non-secular org. Has a Dalit, OBC or a member from minority communities ever become Sarsanghchalak?: Karnataka Congress leader Siddaramaiah said while replying to a question amid 'Chaddi' row between BJP, Congress (06.06) pic.twitter.com/4oZ5hD6OB1
આપને જણાવી દઈએ કે, ગત અઠવાડીયએ સ્ટૂડેંટ્સ વિંગ એનએસયુઆઈના અમુક સભ્યોએ રાજ્યના શિક્ષણમંત્રી બીસી નાગેશના ઘર પર ખાકી ચડ્ડીની જોડી સળગાવી હતી. આ રાજ્યમાં શાળાકીય પાઠ્યપુસ્તકોમાં કથિત રીતે ભગવાકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રવિવારે, કર્ણાટકમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ આરએસએસ પર કટાક્ષ કરતા કહ્યું કે, NSUIના સભ્યોએ પોલીસની સામે ચડ્ડી સળગાવી દીધી. તો હવે અમે આરએસએસના વિરુદ્ધમાં દરેક જગ્યાએ ચડ્ડી સળગાવીશું. અને કહ્યું હતું કે, આપને શરૂઆતથી જણાવી રહ્યો છું કે, આરએસએસ ધર્મનિરપેક્ષ સંગઠન નથી. શું દલિત, ઓબીસી અથવા અલ્પસંખ્યક સમુદાયનો કોઈ સભ્ય ક્યારેય સરસંઘચાલક બન્યો છે શું ?
Karnataka | RSS workers in Mandya district have collected shorts to send to the Congress office as a mark of their protest against Siddaramaiah’s remarks against RSS Khaki shorts (06.06) pic.twitter.com/8K4ydcxeP0
તેનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પાર્ટીની ચડ્ડી પહેલાથી જ ઢીલી છે. એટલા માટે તે ચડ્ડી સળગાવવા માટે આગળ આવે છે. તેમની ચડ્ડી યુપીમાં ખોવાઈ ગઈ હતી. સિદ્ધારમૈયાએ ચામુંડેશ્વરીમાં પોતાની ચડ્ડી અને લુંગી ખોઈ દીધી હતી. હતાશામાં આવીને તેઓ સંઘની ચડ્ડી સળગાવવાની કોશિશ કરી રહ્યા છે.