રાષ્ટ્રીય સ્વયં સેવકનોનો આજે 93મો સ્થાપના દિવસ છે. જેથી નાગપુરના રેશિમ બાગમાં સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાપના દિવસ અને વિજયાદશમીનો તહેવાર ભેગો હોવાથી બંનેની ઉજવણીનું આયોજન કરાયુ. ત્યારે આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે નોબર પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ હાજર રહ્યા.
આ અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવત શસ્ત્ર પૂજન કરવાની સાથો સાથ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. આર.એસ.એસ.ના અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ નરેન્દ્ર કુમારે કહ્યું કે વિજયાદશમીના દિવસે સંઘ પ્રમુખ જે સંબોધન કરશે તે સ્વયંસેવકો માટે માર્ગદર્શન અને સમાજ માટે આહવાન હશે. એક વર્ષ સુધી સંઘનું ફોકસ કયા મુદ્દે હશે તેની પણ જાણકારી મળશે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે દશેરાનો તહેવાર મનાવી રહ્યું છે. નાગપુરમાં થઇ રહેલા આ કાર્યક્રમમાં મોહન ભાગવત સાથે નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ વિદ્યાર્થી પણ હાજર છે. કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીક આવ્યા હતા.
કાર્યક્રમને સંબોધિત કરતાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારત જો પંચામૃતના મંત્ર પણ આગળ વધશે તો એક વખત ફરીથી વિશ્વગુરુ બની શકે છે. એક ભયાનક આંધી બાબરના રૂપમાં આવી અને એને આપણા દેશના હિંદુ-મુસલમાનોને છોડ્યા નથી.
ભાગવતે કહ્યું કે આપણા દેશમાં રાજનીતિને લઇને ઘણા પ્રયોગ થયો. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધાર પર રાજકારણની કલ્પના કરી. આ નૈતિક બળના કારણે જ દેશ અંગ્રેજો વિરુદ્ધ એકઠા થયા.
મોહન ભાગવતે કહ્યું કે પાકિસ્તાનમાં સત્તા પરિવરિતન થયું પરંતુ એની હરકતોમાં કોઇ અંતર આવ્યું નથી. આપણે એટલા બલવાન થવું પડશે. કારણ કે કોઇ આપણા પર આક્રમણ કરવાની હિમ્મત ના કરી શકે.
RSS પ્રમુખે કહ્યું કે પશ્વિમ બંગાળથી લઇને હિંદ મહાસાગર સુધી ઘણા દ્વીપ એવા છે જે સામારિક દ્રષ્ટિથી ખૂબ મહત્વના છે. એ દરેકની નાકાબંધી હોવી જોઇએ. દુનિયામાં એવા ઘણા દેશો છે જે ભારતને આગળ વધવા દેવા ઇચ્છતા નથી.
સંઘના પ્રચાર વિભાગે ટ્વિટર ફેસબુક યૂટ્યૂબ પર આ લાઇવ પ્રસારણની વ્યવસ્થા કરી છે.