વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ની તરફથી પગપાળા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. RSS પ્રમુખ મોહન ભાગવતની અધ્યક્ષતામાં નીકળનારી આ પગપાળા યાત્રામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને વીકે સિંહ પહોંચ્યા હતા.
RSS મુખ્યાલય પર વિજયાદશમીની થઈ ઉજવણી
RSSએ કર્યું પગપાળા યાત્રાનું આયોજન
યાત્રામાં નીતિન ગડકરી અને વીકે સિંહ પણ રહ્યા હાજર
કાર્યકરોએ શસ્ત્રપૂજા પણ કરી, RSSના કાર્યકર્તાઓ જોડાયા
સરસંઘચાલક મોહન ભાગવત પણ સંબોધન કરશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને વીકે સિંહની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત દેવેન્દ્ર ફડણવીસે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની તરફથી નાગપુરમાં યોજાનારી વિજયાદશમીમાં આઈટી કંપનીઓ એચસીએલના સંસ્થાપક અને અધ્યક્ષ શિવ નાડર ખાસ મહેમાન બન્યા હતા. કાર્યક્રમ સવારે 7.40 મિનિટે શરૂ થયો અને રેશીમબાગમાં યોજાયો. ગયા વર્ષે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી હતા.
Maharashtra: RSS Chief Mohan Bhagwat, Maharashtra CM Devendra Fadnavis, Union Ministers Nitin Gadkari & General (retd.) VK Singh at an event organised by RSS in Nagpur on the occasion of #VijayaDashami. HCL founder Shiv Nadar is the chief guest at the event. pic.twitter.com/52NuwAkTC4
RSS વિજયાદશમીના દિવસે સ્થાપના દિવસ ઉજવે છે. સંઘની સ્થાપના તો વર્ષ 1925માં 27 ડિસેમ્બરે થઈ હતી. પણ આરએસએસ પોતાનો સ્થાપના દિવસ વિજયાદશમીના દિવસે ઉજવે છે.
Maharashtra: RSS Chief Mohan Bhagwat, Maharashtra CM Devendra Fadnavis, Union Ministers Nitin Gadkari & General (retd.) VK Singh at an event organised by RSS in Nagpur on the occasion of #VijayaDashami. HCL founder Shiv Nadar is the chief guest at the event. pic.twitter.com/52NuwAkTC4
વિજયાદશમીના દિવસે થનારા સંધના આ સ્થાપના દિવસનો કાર્યક્રમ સરસંઘસંચાલક મોહન ભાગવતનું વક્તવ્ય રહેતું. તેના માટે એક વર્ષ સુધી સંઘ પ્રમુખને દેશની સ્થિતિ પર પોતાનું વક્તવ્ય આપવાનું રહેતું. આવનારા વર્ષ માટે સંઘ અને તેના દરેક 36 સહયોગી સંગઠનોના એજન્ડાના સંકેત પણ આ ભાષણથી મળે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની સ્થાપના કેશવ બલિરામ હેડગેવારે 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. ત્યારથી આરએસએસ દર વર્ષે વિજયાદશમીના દિવસે સ્થાપના દિવસની ઉજવણી કરે છે.