સનાતન ધર્મમાં ચાર ધામ અને 7 પુરી અને 51 શક્તિપીઠનું વિશેષ મહત્વ છે. આદિ શંકરાચાર્યજીએ ભારતની ચાર દિશામાં ચારધામ અને ચાર પીઠનું નિર્માણ કર્યું હતું. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર,પૂર્વમાં જગ્ગનાથ પુરી અને પશ્ચિમમાં દ્વારકા ધામનું નિર્માણ કરાયું છે.
કંબોડિયામાં આકાર પામશે પાંચમું ધામ
RSS દ્વારા મદદ કરવાની કરાઇ વાત
કંબોડિયા સરકારનો મળશે સહયોગ
ચારધામની યાત્રા કરનાર ભાવિકો ભારત વર્ષની સંસ્કૃતિથી વાકેફ થાય તે હેતુથી દેશની ચાર દિશામાં ચાર ધામ બનાવાયા હતા. સૈકાઓથી ચાર ધામ ભારતમાં છે. દરેક ભારતીયની એક ઈચ્છા હોય છે કે જીવનમાં કમસેકમ એક વાર ચાર ધામની યાત્રા કરે.
દુનિયામાં પાંચમું ધામ
સનાતન ધર્મના ઇતિહાસમાં હજારો વર્ષ બાદ એક મોટી ઘટના આકાર લઇ રહી છે. હવે દુનિયામાં પાંચમું ધામ બનવા જઈ રહ્યું છે અને તે ભારત માં નહિ પણ કંબોડીયા માં બનશે. વિદેશની ધરતી પર પહેલું ધામ નિર્માણ પામશે.
કંબોડિયામાં હિન્દૂ ધામ બનશે
કંબોડિયામાં દુનિયાનું સૌથી પ્રાચીન મંદિર અંગકોરવાટ ખૂબ જાણીતું છે પણ હવે પાંચમું હિન્દૂ ધામ બનશે. અંગકોરવાટથી 25 કિમિ દૂર શિયાન ની ભૂમિ પર બની રહ્યું છે. આ પાંચમાં ધામ ના નિર્માણનું બીડું વિશ્વ શાંતિ આધ્યાત્મિક જ્યોતિષ ટ્રસ્ટના સ્થાપક અને વિશ્વ ભરમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે ફરી રહેલા કુમારન સ્વામીએ ઉઠાવ્યું છે.
30 મેં 2018 ના રોજ કરાયું ભૂમિ પૂજન
કંબોડિયામાં આ ધામ માટે 30 મેં 2018 ના રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું। જંગલ, પહાડોની વળી વચ્ચે આ ધામ નિર્માણ પામી રહ્યું છે , ભારતના ચારો ધામમાંથી જળ , માટી અને ધાતુ લાવી આ મંદિર માં પધરાવશે.
સૌ પહેલા દ્વારકા મંદિરમાં થોડા દિવસ પહેલા કુમારન સ્વામી આવ્યા હતા અને જળ લઇ ગયા હતા. RSS ના લીડર ઇન્દ્રેશકુમારે પણ કંબોડિયામાં પાંચમું ધામ બને તેને મદદ કરવાની જાહેરાત કરી હતી. સંઘ નો પૂરો સાથ છે. ભારત સરકાર અને કંબોડીયા ની સરકાર પણ આ કાર્ય માં મદદ કરી રહી છે.